મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૫૭૫ બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવ્યા


SHARE















મોરબીમાં ૨૫૭૫ બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવ્યા

આયુર્વેદિક જીવનશૈલી દ્વારા દર મહિને પુસ્યનક્ષત્ર પર બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવાશારીરિક તથા માનસિક વિકાસમાં વૃદ્ધિ કરવારોગો સામે લડવા માટે ત્રણ હજાર વર્ષ જૂનું આયુર્વેદિક રસીકરણ મંત્રોષધી સુવર્ણપ્રાશન ડ્રોપ્સનો રવિવારે ૨૫મો વિનામૂલ્યે કેમ્પ મોરબીમાં યોજાયો હતો આ કેમ્પમાં ૨૫૭૫ બાળકોએ વિનામૂલ્યે ટીપા પીધા હતા અને આ ટીપા પીવડાવ્યા બાદ દરેક બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી તેમજ પ્રેગ્નેટ લેડીઝને પણ વિનામૂલ્યે ટીપાં  પીવડાવવામાં આવ્યા હતા આ કેમ્પમાં કેમ્પના મુખ્ય આયોજક રાજભાઈ પરમાર (આયુર્વેદિક જીવનશૈલી) ના કહેવા અનુસાર પરમાર ક્રિષ્નાબેનપરમાર ડિમ્પલબેનગીતાબેનચંદ્રકાન્તભાઈ, નીતાબેનગૌતમભાઈરસ્મિતાબેનએ કેમ્પમાં સેવા આપી હતી અને સ્વ. શામજીભાઈ કાનજીભાઈ અધારાની પુણ્ય તિથિએ તેમના પુત્ર પ્રકાશભાઈ આઘારાએ આર્થિક સહયોગ આપ્યો હતો તથા કમલેશ રૂપાલા તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમસોરઠીયા લુહાર ટ્રસ્ટી મંડળતથા અશ્વિનભાઈ પટેલના સહયોગથી આ કેમ્પ શક્ય બન્યો હતો






Latest News