મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંજૂર થયેલા વિકાસ કામો ઓગસ્ટ સુધીમાં પૂરા કરવા મંત્રીની તાકીદ


SHARE











મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંજૂર થયેલા વિકાસ કામો ઓગસ્ટ સુધીમાં પૂરા કરવા મંત્રીની તાકીદ

મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે આયોજન મંડળની બેઠક મળી હતી જેમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના હાજર રહ્યા હતા અને પાંચેય તાલુકા પંચાયત વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારમાં કુલ મળીને સવા છ કરોડના વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા હતા અને આગામી ઓગસ્ટ માસ સુધીમાં તે કામ પૂરા થાય તેવી તાકીદ પણ જવાબદાર અધિકારીઓને કરવામાં આવેલ છે

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોની અંદર લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને હાલમાં મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા સરકારમાંથી જુદી જુદી ગ્રાન્ટ લઈને વિકાસ કામોને આગળ વધારવામાં આવી રહ્યા છે તેવામાં આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ધારાસભ્ય મહમદજાવેદ પીરજાદા તેમજ કલેકટર અધિકારીઓની હાજરીમાં આયોજન મંડળની બેઠક મળી હતી જેમાં જિલ્લાના પાંચેય તાલુકા પંચાયતના વિસ્તારો તેમજ નગરપાલિકા વિસ્તારમાં સવા છ કરોડ રૂપિયાના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે અને આ કામ સારા બને તેમજ સમયસર બને તે માટે થઈને જવાબદાર અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને આગામી ઓગસ્ટ માહિનામાં આ કામને પૂરા કરવા માટે થઈને મંત્રી દ્વારા અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે






Latest News