માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના શાસ્ત્રીએ શિક્ષણમાં ગીતાનો સમાવેશ કરવાના સરકારના નિર્ણયને આવકાર્યો


SHARE

















મોરબીના શાસ્ત્રીએ શિક્ષણમાં ગીતાનો સમાવેશ કરવાના સરકારના નિર્ણયને આવકાર્યો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધો. ૬ થી ૧૨ ના અભ્યાસ ક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યયનનો સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના મોરબીના શાસ્ત્રી કૃષ્ણચંદ્ર ડી.દવેએ આવકાર્યો છે.

રાજ્ય સરકારના શિક્ષણમંત્રી દ્વારા જાહેર કર્યું છે કે, શ્રીમદ ભગવદ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે જેથી કરીને આ નિર્ણયને શાસ્ત્રી કૃષ્ણચંદ્ર ડી.દવેએ બિરદાવે છે અને બાળકો તેમજ યુવાનોમાં જીવન કેવી રીતે જીવવું, શાસ્ત્રોના વિવિધ વિચારો દ્વારા પ્રેરણા અને માર્ગદર્શન મળે ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે અનુરાગ થાય, પરસ્પર, સંપ-સહકાર અને ભાઈચારાની ભાવના કેળવાય સૌમાં આત્મીયતીનો ભાવ જન્મે અને આ જીવનરૂપી યાત્રા ક્ષેમયુક્ત કુશળ અને મંગલમય બની રહે એવી શુભભાવના સાથે શિક્ષણમંત્રી તેમજ સૌ  અધિકારીઓ અને પદાધિકારીઓને તેઓએ અભિનંદન પાઠવ્યા છે.




Latest News