મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત
Breaking news
Morbi Today

મોરબીના આલાપ પાર્કમાં આચાર્ય આર્ય નરશેજીનો સતસંગ યોજાયો


SHARE













મોરબીના આલાપ પાર્કમાં આચાર્ય આર્ય નરશેજીનો સતસંગ યોજાયો.

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના અનુયાયી અને વૈદિક સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે જેમને M.Teach. Central Govt ની નોકરી છોડી કશ્મીરથી કન્યાકુમારી, કચ્છથી કટક સુધી તેમજ વિદેશોમાં પણ વ્યાખ્યાન આપ્યા છે,જેમને આઠ ભાષાઓમાં ૫૦ જેટલા પુસ્તકોનું લેખન અને સંપાદન કરેલ છે, વિદ્યાર્થીઓમાં નૈતિક શિક્ષણ, યુવાનોમાં દેશધર્મની ભાવના, માતા-પિતામાં આદર્શ ગૃહસ્થી અને પંચ મહાયજ્ઞ તેમજ સંસ્કારી સંતાન પ્રાપ્તિ, નેતાઓમાં નૈતિકતા, વૃદ્ધમાં ત્યાગ ભાવના જાગ્રત થાય એવા તમામ વિષયો પર પ્રવચન કર્યા છે,શિબિરો કરી છે, એમના જીવનકાર્યથી પ્રેરણા લઈ અનેક પરિવારોએ પ્રેરણા પ્રાપ્ત કરેલ છે આચાર્ય આર્ય નરેશજી ઉદગીથને સમાજ સેવા, પીડિતોની સેવસ માટે કુદરતી આફતો જેવી કે લાતુરનો ભૂકંપ હોય કે કચ્છ ગુજરાતનો ભૂકંપ હોય, ઓરિસ્સામાં આવેલ તુફાનમાં આચાર્યે લોકોને ખૂબજ મદદ કરી છે,એવા આચાર્ય આર્ય નરેશજીએ આલાપ પાર્કમાં રાત્રે વૈદિક સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ વિશે, ક્રાંતિકારીઓ વિશે વાતો કરી એકતાની તાકાત, શક્તિ વિશે વાતો કરી, ઋષિ સંસ્કૃતિ મુજબના ખાનપાન, રહેણીકરણી, વસ્ત્ર પરિધાન વગેરે વિશે તત્વજ્ઞાન રજૂ કર્યું હતું તેમજ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારો રજૂ કર્યા હતા, ખુબજ બહોળી સંખ્યામાં આલપવાસીઓએ સતસંગનો લાભ લીધો હતો, વ્યાખ્યાન માળાને સફળ બનાવવા અરવિંદભાઈ વામજા પ્રમુખ આલાપ પાર્ક, જીતુભાઈ રૂપાલા કારોબારી સભ્ય અને આર્યવીરે ખુબજ જહેમત ઉઠાવી હતી,આભરદર્શન મહેશભાઈ ભોરણીયાએ કર્યું હતું.સમગ્ર વ્યાખ્યાન માળાનું સુચારુ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.






Latest News