મોરબીમાં લાયન્સ કલબ અને નવોદય-તક્ષશિલા વિદ્યાલય દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો
મોરબીમાં ઓમશાંતિ વિદ્યાલય ખાતે રોટરી ક્લબ દ્વારા નિ:શુલ્ક શ્રવણ યંત્ર વિતરણ કેમ્પ યોજાયો
SHARE
મોરબીમાં ઓમશાંતિ વિદ્યાલય ખાતે રોટરી ક્લબ દ્વારા નિ:શુલ્ક શ્રવણ યંત્ર વિતરણ કેમ્પ યોજાયો
રોટરી ક્લબ ઓફ મોરબી અને રોટરી ક્લબ ઓફ હળવદના સંયુક્ત ઉપક્રમે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ (અમદાવાદ) ના સૌજન્યથી તા.૨૦ ના રોજ નિ:શુલ્ક શ્રવણ યંત્ર વિતરણ કેમ્પ ઓમશાંતિ વિદ્યાલય ખાતે ગોઠવવામાં આવેલ.જેમાં મોરબી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના બહેરાશ વાળા ૨૦૦ થી વધુ ભાઈઓ તથા બહેનોએ આ કેમ્પનો લાભ લીધેલ.આ કેમ્પમાં શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના વાઇસ ચેરમેન લલિતભાઈ જૈન તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી અને તેઓ દ્વારા મશીનમાં ધ્વની સેટ કરીને દર્દીઓને પહેરાવવામાં આવ્યા હતા. ઓડિયોલોજીસ્ટ ડો.મંજય યાદવ, ડો.બ્રિજેશ પી. યાદવ, ડો.હિમાંશુ બી. યાદવ એ સેવા આપેલ.આ તકે હળવદ રોટરી ક્લબમાંથી રાજેન્દ્રસિંહ રાણા, ગોપાલભાઈ ઠક્કર, નરભેરામભાઈ મેરજા તથા ગજેન્દ્રભાઈ મોરડિયા ઉપસ્થિત રહેલ.આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં રોટરી ક્લબ મોરબીના અશોકભાઈ મહેતા, હરીશભાઇ શેઠ, સિદ્ધાર્થભાઈ જોશી, રવિનભાઈ આશર, રસેશભાઈ મહેતા, ડો.પરાગભાઈ પારેખ, અમિતભાઈ પટેલ, મનુભાઈ પટેલ, કિશોરસિંહ જાડેજા, રાજવીરસિંહ સરવૈયા, સંજયભાઈ છનિયારા, ભરતભાઇ કાનાબાર, સંજયભાઈ ગોસ્વામી, નિસર્ગ પટેલ, પ્રેસિડેન્ટ બંસીબેન શેઠ, સેક્રેટરી રસીદાબેન લાકડાવાલા કૈલાસબેન મહેતા, પૂજાબેન મહેતા તથા યુવા આર્મી ગ્રુપના લતાબેન પનારા, ચાંદનીબેન મણિયાર તથા ઈન્ટરેક્ટ ક્લબ ઓફ મોરબીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.