મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો મોરબીના નીચી માંડલ ગામે રહેતી યુવતી ગુમ મોરબીમાં ડીવાયએસપીના નામે યુવાનને ડરાવી-ધમકાવીને 30 હજાર રૂપિયા પડાવવાના ગુનામાં ત્રણ શખ્સ સામે કાર્યવાહી મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, ધારિયા વડે થયેલ હુમલાના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ મોરબીમાં સાળા-સસરા વચ્ચે ચાલતા જમીન માટેના ઝઘડામાં ભત્રીજાને વચ્ચે ન રાખવાનું કહેતા આધેડ અને તેના ભાઈ ઉપર મહિલાઓ સહિત 23 લોકોનો હુમલો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં જુદીજુદી બે સંસ્થા દ્વારા બાળાઓને શૈક્ષણિક કિટ અપાઈ
Breaking news
Morbi Today

મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા સિંચાઈની સુવિધા હોય ત્યાં પાણી આપવા સાંસદ મોહનભાઇની રજૂઆત


SHARE















મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા સિંચાઈની સુવિધા હોય ત્યાં પાણી આપવા સાંસદ મોહનભાઇની રજૂઆત

મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ પડ્યા પછી વરસાદ ખેચાઈ ગયો છે જેથી કરીને ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે ત્યારે જે વિસ્તારમાં સિંચાઈની સુવિધા હોય અને ત્યાં સ્થાનિક જળાશયોમાં પાણી હોય તો તાત્કાલિક ખેડૂતોને સિચાઈ માટે કેનાલ કે પછી પાઇપ લાઇન મારફતે સિચાઈનું પાણી આપવા માટે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થવાના કારણે ખેડૂતોએ વાવેતર કરી લીધેલ છે પરંતુ હાલ વરસાદ ખેચાવાના કારણે પાક નિષફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે જે જગ્યાએ સિંચાઈની સુવિધા હોય તેવા ડેમમાંથી કેનાલ મારફતે અને જ્યાં સૌની યોજનાની પાઈપલાઈન અને કેનાલના માધ્યમથી ખેડૂતોને જો સિચાઈનું પાણી આપવામાં આવે તો જેટલો સિંચાઈ હેઠળનો વાવેતર વિસ્તાર છે તે ખેડૂતોનો મોલ બચી શકે તેમ છે એટલા માટે મોરબી જિલ્લાના રહેવાસી અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે તેમણે વધુમાં લખ્યું છે કેસરકાર હંમેશા ખેડૂતોની ચિંતા કરતી હોય છે તેથી કરીને પાણીની તપાસ કરીને તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈને સિચાઈ માટે પાણી કેનાલ મારફતે આપવામાં આવે તો શક્ય તેટલા ખેડૂતોને મદદરૂપ થઈ શકાય તેમ છે માટે આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય તેમણે ભલામણ કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News