મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હી દ્વારા સુરતમાં સંગઠન ચર્ચાનો કાર્યક્ર્મ યોજાયો: દેશના વિવિધ રાજ્યોમાંથી સભ્યો સભામાં આવ્યા ટંકારા તાલુકા પોલીસે 1390 કિલો ચોરાઉ એલ્યુમિનિયમના જથ્થા સાથે એક આરોપીને પકડ્યો, 9.29 લાખનો મુદામાલ કબ્જે: ત્રણ આરોપીની શોધખોળ ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા સિંચાઈની સુવિધા હોય ત્યાં પાણી આપવા સાંસદ મોહનભાઇની રજૂઆત


SHARE













મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા સિંચાઈની સુવિધા હોય ત્યાં પાણી આપવા સાંસદ મોહનભાઇની રજૂઆત

મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ પડ્યા પછી વરસાદ ખેચાઈ ગયો છે જેથી કરીને ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે ત્યારે જે વિસ્તારમાં સિંચાઈની સુવિધા હોય અને ત્યાં સ્થાનિક જળાશયોમાં પાણી હોય તો તાત્કાલિક ખેડૂતોને સિચાઈ માટે કેનાલ કે પછી પાઇપ લાઇન મારફતે સિચાઈનું પાણી આપવા માટે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થવાના કારણે ખેડૂતોએ વાવેતર કરી લીધેલ છે પરંતુ હાલ વરસાદ ખેચાવાના કારણે પાક નિષફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે જે જગ્યાએ સિંચાઈની સુવિધા હોય તેવા ડેમમાંથી કેનાલ મારફતે અને જ્યાં સૌની યોજનાની પાઈપલાઈન અને કેનાલના માધ્યમથી ખેડૂતોને જો સિચાઈનું પાણી આપવામાં આવે તો જેટલો સિંચાઈ હેઠળનો વાવેતર વિસ્તાર છે તે ખેડૂતોનો મોલ બચી શકે તેમ છે એટલા માટે મોરબી જિલ્લાના રહેવાસી અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે તેમણે વધુમાં લખ્યું છે કેસરકાર હંમેશા ખેડૂતોની ચિંતા કરતી હોય છે તેથી કરીને પાણીની તપાસ કરીને તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈને સિચાઈ માટે પાણી કેનાલ મારફતે આપવામાં આવે તો શક્ય તેટલા ખેડૂતોને મદદરૂપ થઈ શકાય તેમ છે માટે આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય તેમણે ભલામણ કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News