મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા સિંચાઈની સુવિધા હોય ત્યાં પાણી આપવા સાંસદ મોહનભાઇની રજૂઆત


SHARE











મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા સિંચાઈની સુવિધા હોય ત્યાં પાણી આપવા સાંસદ મોહનભાઇની રજૂઆત

મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ પડ્યા પછી વરસાદ ખેચાઈ ગયો છે જેથી કરીને ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે ત્યારે જે વિસ્તારમાં સિંચાઈની સુવિધા હોય અને ત્યાં સ્થાનિક જળાશયોમાં પાણી હોય તો તાત્કાલિક ખેડૂતોને સિચાઈ માટે કેનાલ કે પછી પાઇપ લાઇન મારફતે સિચાઈનું પાણી આપવા માટે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થવાના કારણે ખેડૂતોએ વાવેતર કરી લીધેલ છે પરંતુ હાલ વરસાદ ખેચાવાના કારણે પાક નિષફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે જે જગ્યાએ સિંચાઈની સુવિધા હોય તેવા ડેમમાંથી કેનાલ મારફતે અને જ્યાં સૌની યોજનાની પાઈપલાઈન અને કેનાલના માધ્યમથી ખેડૂતોને જો સિચાઈનું પાણી આપવામાં આવે તો જેટલો સિંચાઈ હેઠળનો વાવેતર વિસ્તાર છે તે ખેડૂતોનો મોલ બચી શકે તેમ છે એટલા માટે મોરબી જિલ્લાના રહેવાસી અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે તેમણે વધુમાં લખ્યું છે કેસરકાર હંમેશા ખેડૂતોની ચિંતા કરતી હોય છે તેથી કરીને પાણીની તપાસ કરીને તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈને સિચાઈ માટે પાણી કેનાલ મારફતે આપવામાં આવે તો શક્ય તેટલા ખેડૂતોને મદદરૂપ થઈ શકાય તેમ છે માટે આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય તેમણે ભલામણ કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News