મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજના સર્વિસ રોડ અને બ્રિજ નીચેનો રોડ યોગ્ય કરવાની કોંગ્રેસની માંગ


SHARE









મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજના સર્વિસ રોડ અને બ્રિજ નીચેનો રોડ યોગ્ય કરવાની કોંગ્રેસની માંગ

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે અને ઓવરબ્રિજની બંન્ને સાઇડમાં સર્વિસ રોડ તેમજ બ્રિજ નીચેથી પસાર થતો રસ્તો ખરાબ છે જેના લીધે અવારનવાર નાના-મોટા અકસ્માતો થાય છે માટે મોરબી માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દ્વારા લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક સર્વિસ રોડ સહિતના કામોને પૂરા કરવાની માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતનભાઇ એરવાડીયા દ્વારા મોરબી જિલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલુ કરીને હાલમાં ઓવરબ્રિજ બનાવવાનું કામ પૂર્ણ થઇ ગયેલ છે ત્યારે ઓવરબ્રિજની બન્ને બાજુએ સર્વિસ રોડ પહોળા બનાવવાની કામગીરી તેમજ બિસ્માર રસ્તાના રીપેર કામ તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવે અને ઓવરબ્રિજની નીચેના ભાગમાંથી પસાર થવાનો રસ્તો પણ અતિ ખરાબ હોવાના કારણે નાના મોટા અકસ્માતો થાય છે માટે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તે પહેલા યોગ્ય રસ્તો કરવામાં આવે તેવી માંગ કરેલ છે જો કે, કામ કયારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશ






Latest News