ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજના સર્વિસ રોડ અને બ્રિજ નીચેનો રોડ યોગ્ય કરવાની કોંગ્રેસની માંગ


SHARE







મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજના સર્વિસ રોડ અને બ્રિજ નીચેનો રોડ યોગ્ય કરવાની કોંગ્રેસની માંગ

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે અને ઓવરબ્રિજની બંન્ને સાઇડમાં સર્વિસ રોડ તેમજ બ્રિજ નીચેથી પસાર થતો રસ્તો ખરાબ છે જેના લીધે અવારનવાર નાના-મોટા અકસ્માતો થાય છે માટે મોરબી માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દ્વારા લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક સર્વિસ રોડ સહિતના કામોને પૂરા કરવાની માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતનભાઇ એરવાડીયા દ્વારા મોરબી જિલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલુ કરીને હાલમાં ઓવરબ્રિજ બનાવવાનું કામ પૂર્ણ થઇ ગયેલ છે ત્યારે ઓવરબ્રિજની બન્ને બાજુએ સર્વિસ રોડ પહોળા બનાવવાની કામગીરી તેમજ બિસ્માર રસ્તાના રીપેર કામ તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવે અને ઓવરબ્રિજની નીચેના ભાગમાંથી પસાર થવાનો રસ્તો પણ અતિ ખરાબ હોવાના કારણે નાના મોટા અકસ્માતો થાય છે માટે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તે પહેલા યોગ્ય રસ્તો કરવામાં આવે તેવી માંગ કરેલ છે જો કે, કામ કયારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશ






Latest News