મોરબીના વેજીટેબલ રોડ ઉપર બે બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત: ગુનો નોંધાયો
મોરબીના રફાળેશ્વર મંદિર પાસેથી બાઈકની ચોરી કરનાર શખ્સ પકડાયો
SHARE
મોરબીના રફાળેશ્વર મંદિર પાસેથી બાઈકની ચોરી કરનાર શખ્સ પકડાયો
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે મંદિરની સામેના ભાગમાં પાર્ક કરેલા બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે
વાહન ચોરીના બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર ગામ પાસે આવેલ નવજીવન સ્કુલથી આગળના ભાગમાં આવેલ બુટાની વાડીમાં રહેતા ભૂરાલાલ પ્રભુભાઈ પરમાર જાતે સતવારા (ઉમર ૩૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે ગત તા.૧૭-૪ ના રોજ તેઓ મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે મહાદેવ મંદિરની સામેના ભાગમાં બાઇક લઈને ગયા હતા અને ત્યાં તેઓએ પોતાનું બાઇક જેના એન્જિન નંબર પી.એફ.એક્સ.એમ.ડબલ્યુ.જી ૬૮૯૪૬ ને પાર્ક કરીને મૂક્યું હતું.તે ૨૦,૦૦૦ ની કિંમતનું બાઇક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ભુરાલાલ પરમારની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં ચોરાઉ બાઈકની સાથે પોલીસે સુનિલભાઈ રંગૂભાઈ નાગવથી જાતે મદારી (૨૪) આરએચ. ફોરચ્યું પેપર મિલની ઓરડી, રફાળેશ્વર વાળાની ધરપકડ કરવામાં આવી છ