મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબી : સાવરકુંડલામાં યોજાનાર બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના વર્ગમાં જોડાવા આહવાન


SHARE







મોરબી : સાવરકુંડલામાં યોજાનાર બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના વર્ગમાં જોડાવા આહવાન

સાવરકુંડલાના બાઢડા ગામે આવેલ હાઈસ્કૂલ ખાતે સૌરાષ્ટ્ર કક્ષાનો બજરંગ દળનો વર્ગ યોજાવાનો છે જેમાં જોડાવા માટે આહવાન કરવામાં આવેલ છે.જેમાઘોડેસવારી, જૂડો કરાટે, લક્ષ્યભેદ, લાઠીદાવ, ઓબસ્ટીકલ, ધનુર્વિદ્યા (તીરંદાજી), રમતો, યોગાસન, ધ્યાન અને સૂર્યનમસ્કાર તેમજ યષ્ટી જેવી તાલીમ લેવા માટે ૧૫ થી ૩૫ વર્ષના યુવાનોને આહવાન કરવામાં આવેલ છે.બજરંગદળનો આ વર્ગ અવશ્ય કરો તેમજ અન્ય યુવાનોને પણ વર્ગ કરવા માટે પ્રેરકરૂપ બનવા જણાવાયેલ છે.આ બજરંગદળનો સૌરાષ્ટ્ર પ્રાંતનો વર્ગ છે જેમાં તમામ જિલ્લામાંથી યુવાનો મોટી સંખ્યામાં જોડાશે જેથી આ એક અવસર સમાન ગણી સંપર્કિત હોય એવા તમામ યુવાનોને જોડવા જણાવાયેલ છે.

આગામી દિનાંક ૧૪ મે શનિવારથી ૨૧ મે શનિવાર સુધી શ્રી એચ. એન.વિરાણી હાઈસ્કુલ, બાઢડા જી.સાવરકુંડલા ખાતે વર્ગ યોજીશે.બજરંગદળની પત્રિકામાં તમામ માહિતી દર્શાવેલ છે જે પૂરી રીતે વાંચી લેવી.તેમજ મોરબીના તમામ ગ્રુપમા જાણ કપીને દરેક યુવાનો સુધી બજરંગદળના આ વર્ગની માહિતી પહોંચાડવા જણાવાયેલ છે.વર્ગમાં  જોડાવા માટે કમલભાઈ દવે મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, મોરબી જીલ્લો (મો.૯૫૯૫૬ ૮૮૮૮૮૮), કૃષ્પભાઈ રાઠોડ બજરંગદળ જિલ્લા સંયોજક (મો.૯૬૮૭૬ ૧૮૦૦૬), કમલેશભાઈ આહીર અઘ્યક્ષ મોરબી શહેર વિશ્વ હિન્દુ પરિષદ (મો.૯૦૯૯૧ ૧૦૦૦૫), ઈશ્વરભાઈ કંજારીયા (નો.૭૦૬૯૩ ૧૨૫૭૫) અથવા પુષ્પરાજસિંહ જાડેજા અઘ્યક્ષ મોરબી ગ્રામ્ય વિશ્વ હિન્દુ પરિષદ (મો.૯૯૭૮૧ ૧૭૧૧૭) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News