મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી : સાવરકુંડલામાં યોજાનાર બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના વર્ગમાં જોડાવા આહવાન


SHARE











મોરબી : સાવરકુંડલામાં યોજાનાર બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના વર્ગમાં જોડાવા આહવાન

સાવરકુંડલાના બાઢડા ગામે આવેલ હાઈસ્કૂલ ખાતે સૌરાષ્ટ્ર કક્ષાનો બજરંગ દળનો વર્ગ યોજાવાનો છે જેમાં જોડાવા માટે આહવાન કરવામાં આવેલ છે.જેમાઘોડેસવારી, જૂડો કરાટે, લક્ષ્યભેદ, લાઠીદાવ, ઓબસ્ટીકલ, ધનુર્વિદ્યા (તીરંદાજી), રમતો, યોગાસન, ધ્યાન અને સૂર્યનમસ્કાર તેમજ યષ્ટી જેવી તાલીમ લેવા માટે ૧૫ થી ૩૫ વર્ષના યુવાનોને આહવાન કરવામાં આવેલ છે.બજરંગદળનો આ વર્ગ અવશ્ય કરો તેમજ અન્ય યુવાનોને પણ વર્ગ કરવા માટે પ્રેરકરૂપ બનવા જણાવાયેલ છે.આ બજરંગદળનો સૌરાષ્ટ્ર પ્રાંતનો વર્ગ છે જેમાં તમામ જિલ્લામાંથી યુવાનો મોટી સંખ્યામાં જોડાશે જેથી આ એક અવસર સમાન ગણી સંપર્કિત હોય એવા તમામ યુવાનોને જોડવા જણાવાયેલ છે.

આગામી દિનાંક ૧૪ મે શનિવારથી ૨૧ મે શનિવાર સુધી શ્રી એચ. એન.વિરાણી હાઈસ્કુલ, બાઢડા જી.સાવરકુંડલા ખાતે વર્ગ યોજીશે.બજરંગદળની પત્રિકામાં તમામ માહિતી દર્શાવેલ છે જે પૂરી રીતે વાંચી લેવી.તેમજ મોરબીના તમામ ગ્રુપમા જાણ કપીને દરેક યુવાનો સુધી બજરંગદળના આ વર્ગની માહિતી પહોંચાડવા જણાવાયેલ છે.વર્ગમાં  જોડાવા માટે કમલભાઈ દવે મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, મોરબી જીલ્લો (મો.૯૫૯૫૬ ૮૮૮૮૮૮), કૃષ્પભાઈ રાઠોડ બજરંગદળ જિલ્લા સંયોજક (મો.૯૬૮૭૬ ૧૮૦૦૬), કમલેશભાઈ આહીર અઘ્યક્ષ મોરબી શહેર વિશ્વ હિન્દુ પરિષદ (મો.૯૦૯૯૧ ૧૦૦૦૫), ઈશ્વરભાઈ કંજારીયા (નો.૭૦૬૯૩ ૧૨૫૭૫) અથવા પુષ્પરાજસિંહ જાડેજા અઘ્યક્ષ મોરબી ગ્રામ્ય વિશ્વ હિન્દુ પરિષદ (મો.૯૯૭૮૧ ૧૭૧૧૭) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News