મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE

















મોરબીના વીસીપરામાં યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબી શહેરના વીસીપરામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવની બી ડીબીઝ્ન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં વાડી વિસ્તારમાં રહેતા સિરાજ રસુલભાઇ ભટ્ટી (૨૭) એ ગળાફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવની બી ડીબીઝ્ન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની તપાસ કરતાં તપાસનીશ સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મૃતક યુવાન પરિણીત છે અને તેની માનસિક દવા ચાલી રહી હતી દરમ્યાન તેને આપઘાત કરી લીધો છે

વૃધ્ધાનું મોત

વાંકાનેરના હસનપર શક્તિપરામાં રહેતા હુરબાઇબેન આહમદભાઇ કટીયા (૯૦) પોતાના ઘર પાસે વાડામાં લાકડા કાપવા માટે ગયા હતા ત્યારે પોતાના જ હાથમાં કાંડા ઉપર ધારિયું વાગી ગયું હતું જેથી કરીને વધુ પડતું લોહી વહી જવાના લીધે તેનું મોત નીપજયું હતું જેની મૃતક મહિલાના દીકરાએ પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News