વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો અટકાવવા તથા તળાવ અને પાણીના નિકાલ ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરવા કોંગ્રેસની માંગ મોરબીમાં નવા બની રહેલા લખધીરપુર રોડ પર ભષ્ટ્રાચાર ની ગંધ: આમ આદમી પાર્ટીનાં આક્ષેપ
Breaking news
Morbi Today

મોરબીના ટાઉન હોલમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા ની હાજરીમાં સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજાયો


SHARE

















મોરબીના ટાઉન હોલમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા ની હાજરીમાં સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજાયો

મોરબી મહેન્દ્રસિંહ ટાઉન હોલ ખાતે આજે આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા ત્યારે સરપંચો અને બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધિકારીઓએ દ્વારા જરૂરી માહિતી આપવામાં આવી હતી

સરકાર દ્વારા છેવાડાનાં લોકોના લાભ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે જો કે, તેની માહિતીના અભાવે ઘણી યોજનાનો લોકોને લાભ મળતો નથી ત્યારે મોરબી મહેન્દ્રસિંહ ટાઉન હોલ ખાતે આજે આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા અને મંત્રી બ્રિજેશભાઈએ સરકારની વિવિધ લોકો ઉપયોગી યોજનાઓની માહિતી આપી હતી અને સરપંચોને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓને પહોચડવા માટે આહવાન કર્યું હતું આ તકે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધિકારીઓએ દ્વારા લોકોમાં પણ સરકારની વિવિધ લક્ષી યોજનાઓ અંગે જનજાગૃતિ કેળવાઈ તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિભાગીય વડા ભાલોડીયાએ શ્રમિકો માટે બાળકનાં જનમથી લઈ તેના શિક્ષણ સુધીની અને અક્સ્માતથી લઈને આકસ્મિક મૃત્યુ સુધી સરકાર તરફથી શું સહાય મળે છે તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ તકે કબીરધામના શિવરામદાસજી, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી શહેર ભાજપના મહામંત્રી રિશીપભાઈ કૈલા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, ચેરમેન હીરાભાઈ ટમારિયા, ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, હંસાબેન પારઘી, મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ સહિતના ધિકારી, સરપંચો અને તલાટી મંત્રી ઉપસ્થિત રહેલ હતા




Latest News