મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત બાઇક અને કાર રેલી યોજાઇ


SHARE

















મોરબીમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત બાઇક અને કાર રેલી યોજાઇ

ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રા શરૂ કરી છે. ત્યારે આજે મોરબી-માળીયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત બાઇક અને કાર રેલી યોજાઇ હતી જેમાં આમ આદમી પાર્ટીના કૈલાશદાન ગઢવી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે મોરબીના વાવડી રોડ ઉપરના સરદાર ચેમ્બર ખાતે થોડા દિવસો પહેલા ઈસુદાન ગઢવીની હાજરીમાં જનસંવાદ સભા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ત્યારે બાદ આજે મોરબીના આમ આદમી પાર્ટીના ખજાનચી કૈલાશદાન ગઢવી, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઇ ગોરીયા સહિતનાઓની હાજરીમાં સર્કિટ હાઉસથી બાઈક અને કાર સાથે રેલી યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી કાર્યક્રરો હાજર રહ્યા હતા અને શહેરના મુખ્ય માર્ગો ઉપરથી આમ આદમી પાર્ટીની રેલી પસાર થઈ હતી ત્યારે લોકો તરફથી ખૂબ જ સારો આવકાર આપવામાં આવ્યો હતો અને આમ આદમી પાર્ટીના આગેવાનોને લોકોએ આશીર્વાદ આપ્યા હતા




Latest News