ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં બુદ્ધ વિહાર ખાતે ૧૫ પરિવારના ૬૫ લોકોએ બૌદ્ધ ધર્મને અંગીકાર કર્યો


SHARE







મોરબીમાં બુદ્ધ વિહાર ખાતે ૧૫ પરિવારના ૬૫ લોકોએ બૌદ્ધ ધર્મને અંગીકાર કર્યો

મોરબીના આંગણે એક ઐતિહાસિક બૌદ્ધ ધમ્મ દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારે ૧૫ પરિવારના ૬૫ જેટલા લોકોએ બુદ્ધમ શરણમ ગચ્છામીના નાદ સાથે હિન્દુ ધર્મને છોડીને બૌદ્ધ અપનાવ્યો હતો અને મોટી સંખ્યામાં તથાગત બુદ્ધ અને બાબા સાહેબના અનુયાયીઓની વચ્ચે દિક્ષાર્થીઓએ દીક્ષા લીધી હતી. જેમાં બાબા સાહેબે આપેલી ૨૨ પ્રતિજ્ઞા બોલીને માનવતાવાદી ધમ્મમાં દિક્ષાર્થીઓએ પ્રવેશ કર્યો હતો.

બાબાસાહેબે ૧૯૩૫ માં એવી જાહેરાત કરી હતી કે "હું એક હિંદુ તરીકે જન્મ્યો છું, પરંતુ હિંદુ તરીકે મરીશ નહીં." એ ઘટનાના ૨૧ વર્ષ પછી ૧૯૫૬ ની ૧૪ ઑક્ટોબરે તેમણે હિંદુ ધર્મની અસમાનતામાંથી છુટકારો મેળવીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો ત્યાર બાદ ઘણા લોકોએ બૌદ્ધ ધર્મને અંગીકાર કરેલ છે ત્યારે આજે મોરબીના વિજયનગરમાં આવેલા સમ્રાટ અશોકા બુદ્ધ વિહાર ખાતે ઐતિહાસિક ધમ્મ દિક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મોરબી જિલ્લામાંથી ૧૫ પરિવારના ૬૫ લોકો દ્વારા દિક્ષા લેવામાં આવી હતી અને મોરબીના ઈતિહાસમાં પહેલી વખત આ પ્રકારનો કાર્યક્ર્મ યોજાયો હતો અને આગામી દિવસોમાં પણ આવા કાર્યક્રમો યોજાશે તેવું સોલંકી નગજીભાઇ અને દિનેશભાઇ બૌદ્ધએ જણાવ્યુ હતું આ તકે ધ ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર પોરબંદરથી ભીખુ પ્રજ્ઞા રત્નજીએ હાજરી આપી હતી અને દિક્ષાર્થીઓને ધર્મ દીક્ષા આપી હતી. ત્યારે અમદાવાદ બુદ્ધ વિહારના ભીખ્ખુ સારીપૂત્તિ પણ હાજર રહ્યા હતા






Latest News