લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં બુદ્ધ વિહાર ખાતે ૧૫ પરિવારના ૬૫ લોકોએ બૌદ્ધ ધર્મને અંગીકાર કર્યો


SHARE

















મોરબીમાં બુદ્ધ વિહાર ખાતે ૧૫ પરિવારના ૬૫ લોકોએ બૌદ્ધ ધર્મને અંગીકાર કર્યો

મોરબીના આંગણે એક ઐતિહાસિક બૌદ્ધ ધમ્મ દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારે ૧૫ પરિવારના ૬૫ જેટલા લોકોએ બુદ્ધમ શરણમ ગચ્છામીના નાદ સાથે હિન્દુ ધર્મને છોડીને બૌદ્ધ અપનાવ્યો હતો અને મોટી સંખ્યામાં તથાગત બુદ્ધ અને બાબા સાહેબના અનુયાયીઓની વચ્ચે દિક્ષાર્થીઓએ દીક્ષા લીધી હતી. જેમાં બાબા સાહેબે આપેલી ૨૨ પ્રતિજ્ઞા બોલીને માનવતાવાદી ધમ્મમાં દિક્ષાર્થીઓએ પ્રવેશ કર્યો હતો.

બાબાસાહેબે ૧૯૩૫ માં એવી જાહેરાત કરી હતી કે "હું એક હિંદુ તરીકે જન્મ્યો છું, પરંતુ હિંદુ તરીકે મરીશ નહીં." એ ઘટનાના ૨૧ વર્ષ પછી ૧૯૫૬ ની ૧૪ ઑક્ટોબરે તેમણે હિંદુ ધર્મની અસમાનતામાંથી છુટકારો મેળવીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો ત્યાર બાદ ઘણા લોકોએ બૌદ્ધ ધર્મને અંગીકાર કરેલ છે ત્યારે આજે મોરબીના વિજયનગરમાં આવેલા સમ્રાટ અશોકા બુદ્ધ વિહાર ખાતે ઐતિહાસિક ધમ્મ દિક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મોરબી જિલ્લામાંથી ૧૫ પરિવારના ૬૫ લોકો દ્વારા દિક્ષા લેવામાં આવી હતી અને મોરબીના ઈતિહાસમાં પહેલી વખત આ પ્રકારનો કાર્યક્ર્મ યોજાયો હતો અને આગામી દિવસોમાં પણ આવા કાર્યક્રમો યોજાશે તેવું સોલંકી નગજીભાઇ અને દિનેશભાઇ બૌદ્ધએ જણાવ્યુ હતું આ તકે ધ ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર પોરબંદરથી ભીખુ પ્રજ્ઞા રત્નજીએ હાજરી આપી હતી અને દિક્ષાર્થીઓને ધર્મ દીક્ષા આપી હતી. ત્યારે અમદાવાદ બુદ્ધ વિહારના ભીખ્ખુ સારીપૂત્તિ પણ હાજર રહ્યા હતા




Latest News