ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાઇ ગયો પછી ચોરીનો ગુનો નોંધાયો


SHARE

















મોરબીના ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાઇ ગયો પછી ચોરીનો ગુનો નોંધાયો

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ હોસ્પિટલ પાસે પાર્ક કરવામાં આવેલ બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે.જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવેલ છે.જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ માધવ હોસ્પિટલ સામેના ભાગમાં વાંકાનેર તાલુકાના પાજ ગામે રહેતા તોસીફખાન અનવરખાન પઠાણ (ઉમર ૨૭) એ પોતાનું બાઇક નંબર જીજે ૧૩ એઇ ૨૦૨૮ તા. ૨૭-૫ ના રોજ સવારે ૧૦:૧૫ વાગ્યે પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકને કોઇ અજાણ્યો શખ્શ ચોરી કરીને લઈ ગયો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા બાઇક ચોરીની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે બાઈક ચોરીની ફરીયાદ નોંધાયેલ છે તે ચોરાઉ બાઈક સાથે આરોપી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવેલ છે અને આરોપી પકડાઈ ગયા બાદ બાઇક ચોરીની ફરીયાદ લેવામાં આવી છે..!?

વાહન અકસ્માતમાં ઈજા

જામનગરના ધ્રોલ તાલુકામાં આવેલા હમાપર ગામ ના સંજયભાઈ સોલંકી પોતાની સાત વર્ષની દિકરી રવીનાને બાઈકમાં પાછળના ભાગે બેસાડીને જતા હતા અને તેઓ જ્યારે મોરબીના મચ્છુ ડેમ પાસેના જોધપર નદી નજીક નીકળ્યા ત્યારે રસ્તામાં સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને રવિ ના નામની સાત વર્ષિય બાળકીને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.

પરણિતા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા શીલાબા યુવરાજસિંહ જાડેજા નામની ૨૭ વર્ષીય મહિલા તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી જતાં તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવને પગલે એચ.એમ. ચાવડા દ્વારા બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.




Latest News