ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાં ડુબી જવાથી તરૂણનું મોત


SHARE













હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાં ડુબી જવાથી તરૂણનું મોત

હળવદ તાલુકામાં આવેલા બ્રાહ્મણી-૨ ડેમમા ૧૪ વર્ષનો તરુણ ડૂબી ગયો હતો જેની તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તરવૈયાઓએ સ્થળ ઉપર પહોચીને પાણીમાં બાળકને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી અને પાણીમાંથી બાળકની લાશને બહાર કાઢીને પીએમ માટે હળવદ ખસેડવામાં આવી હતી અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી

બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના બ્રાહ્મણી-૨ ડેમના કાંઠે જામનગર ખાતે રહેતો રાજકુમાર અશોકભાઈ પંડ્યા (૧૪) કે જે તેના મામા અને પરિવારજનોની સાથે કુળદેવી માતાજીના મંદિરે છેડાછેડી છોડવા માટે આવી રહ્યો હતો તે સૂર્યનગર નજીક બ્રાહ્મણી-૨ ડેમના કાંઠે હાથ પગ ધોવા ઊભો હતો ત્યારે અકસ્માતે તે પાણીમાં પડી ગયો હતો જેથી કરીને ફાયરની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને ભારે મહેનતના અંતે તરવૈયાની ટીમે બાળકના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢયો હતો અને પીએમ માટે મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News