મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગ્રીન ચોક પાસે સરકારી જમીન ઉપર થયેલ દબાણને દૂર કરવામાં તંત્રની ઢીલીનીતિ કેમ ?


SHARE

















વાંકાનેરમાં ગ્રીન ચોક પાસે સરકારી જમીન ઉપર થયેલ દબાણને દૂર કરવામાં તંત્રની ઢીલીનીતિ કેમ ?

વાંકાનેર શહેરના ગ્રીન ચોક પાસે છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો દ્વારા ટ્રાન્સપોર્ટ ઓફિસ અને ગોદામોની પાછળના ભાગમાં ગેરકાયદે દબાણ કરવામાં આવી રહ્યું છે આ બાબતે સ્થાનિક વેપારીઓએ તા. ૧૯/૪ ના રોજ સરકારી કચેરીઓમાં પાંચ શખસોના નામ જોગ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ આપેલ છે અને અધિક કલેકટરે આ મુદે ૨૧ દિવસમાં પ્રાંત અધિકારી પાસે રિપોર્ટ પણ માંગ્યો છે જો કે, હજુ સુધી આ દબાણને દૂર કરવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી

વાંકાનેરમાં રહેતા હમદબીન અલીભાઈ છબીબી, મલકાણી અલીઅસગર જૈનુદ્દીન અને અબ્દુલકરીમ ઠાસરીયાએ અરજી કરી હતી તેમાં જણાવ્યુ હતું કે, ગ્રીન ચોક ખાતે આવેલ મકાન તથા ગોદામોની પાછળના ભાગે ગેલાભાઈ ડાભી, હીરાભાઈ ભગત, અજય કાળુભાઈ, લાખાભાઈ કાળુભાઈ અને કવાભાઈ ભરવાડ દ્વારા મચ્છુ નદીમાં ગેરકાયદે માટી ભરી અને ગ્રીન ચોક વિસ્તારના પાણીનાં મચ્છુ નદીમાં નિકાલ પર ગેરકાયદે કબ્જો જમાવી દબાણ કરેલ છે અને સરકારી જમીન પર ખોદકામ કરી બાંધકામ કરી રહ્યા છે જેની જાણ સ્થાનિક અધિકારીને કરવામાં આવી છે તો પણ અધિકારી દ્વારા પગલાં લેવામાં આવેલ નથી જેથી કરીને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા માટે અરજી કરવામાં આવી હતી તેને ધ્યાને લઈને અધિક કલેક્ટર એન.કે. મુછાર દ્વારા ગત તા ૧૧/૫ ના રોજ પ્રાંત અધિકારી વાંકાનેરને લેખિત આદેશ કરીને ૨૧ દિવસમાં રિપોર્ટ મંગાવવામાં આવેલ છે જો કે, હજુ સુધી દબાણને દૂર કરવા માટે કેમ કોઈ પગલાં લેવામાં આવેલ નથી તે સૌથી મોટો સવાલ છે 




Latest News