મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીના પાણીને દરિયામાં જતાં રોકતા મીઠાના અગરના માટીના પાળાઓને તોડવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબીની મચ્છુ નદીના પાણીને દરિયામાં જતાં રોકતા મીઠાના અગરના માટીના પાળાઓને તોડવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી નજીકના મચ્છુ ડેમમાથી ભારે વરસાદ સમયે દરવાજા ખોલીને પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવે છે ત્યારે આ પાણી નદીમાથી દરિયામાં જતું હોય છે જો કે, દરિયામાં જતાં નદીના પાણીની આડે મીઠાના અગર વાળાઓ દ્વારા મોટા મોટા માટીના પાળાઓ કરવામાં આવેલ છે જેથી કરીને નદીના પાણી માળીયા તાલુકામાં દર વર્ષે હોનારત જેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે જેથી કરીને આ માટીના પાળાઓને દુર કરવામાં આવે તેવી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ના જનરલ સેક્રેટરીએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે
 
હાલમાં મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કેમોરબી જીલ્લામાં આવેલ મચ્છુ નદી મોરબી થઇને માળિયા(મી.) અને ત્યાંથી હળકીયા ક્રિકમાં દરિયામાં ભળી જાય છે  આ હળકીયા ક્રિકમાં મચ્છુ નદી દરિયામાં ભળે છે ત્યાં ઘણા બધા ફાટાઓ ઉપર મીઠાના અગર વાળાઓ દ્વારા મોટા મોટા માટીના પાળાઓ બનાવીને નદીના પાણીના નિકાલને બંધ કરવામાં આવેલ છે. જેના કારણે ચોમાસામાં લગભગ દર વર્ષે ભારે વરસાદ થતા માળિયા (મી.)માં પુર આવેલ છે. અને  જાન માલ ની નુક્શાની થાય છે. આ વર્ષે હજુ એવો ભારે વરસાદ  થયેલ નથી. પરંતુ જયારે થશે ત્યારે પુરની પરિસ્થિતિ ઉદભવશે. તો અગમચેતી રૂપે આ ગેરકાયદે બની ગયેલા પાળાઓ દુર કરવા માટે તાત્કાલિક કાર્યવાહી  કરવામાં આવે તેવી માગણી કરેલ છે. જો આ પાળાઓ દુર કરવામાં નહી આવે તો ભારે વરસાદ  આવતા માળિયા (મી.) માં પુરતી પરિસ્થિતિ ઉભી પાસે અને જાનમાલની નુકશાની પણ થશે તો આ બાબતે આવી નુકશાની થાય તે પહેલા અગમચેતી રૂપે આ પાળાઓ દુર કરવા માટે મુખ્યમંત્રી દ્વારા યોગ્ય આદેશ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે 






Latest News