મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી લાલચ બૂરી બલા હૈ: મોરબીના આધેડને ઘરે બેઠા ઓનલાઈન વર્ક કરી કમાણી કરવાની લાલચ આપીને 62.93 લાખની છેતરપિંડી મોરબીમાં ખાનપર ગામે યુવાનની માલીકીની જમીન ઉપર કબ્જો કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના લખધીરપુર રોડે ગોડાઉનના પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના ખાનપર ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત: વાંકાનેર નજીક અકસ્માતમાં યુવાનનું મોત હળવદના ખોડ ગામે રહેતી સગર્ભાનું શરીરમાં ચેપ લાગવાથી મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીના પાણીને દરિયામાં જતાં રોકતા મીઠાના અગરના માટીના પાળાઓને તોડવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE















મોરબીની મચ્છુ નદીના પાણીને દરિયામાં જતાં રોકતા મીઠાના અગરના માટીના પાળાઓને તોડવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી નજીકના મચ્છુ ડેમમાથી ભારે વરસાદ સમયે દરવાજા ખોલીને પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવે છે ત્યારે આ પાણી નદીમાથી દરિયામાં જતું હોય છે જો કે, દરિયામાં જતાં નદીના પાણીની આડે મીઠાના અગર વાળાઓ દ્વારા મોટા મોટા માટીના પાળાઓ કરવામાં આવેલ છે જેથી કરીને નદીના પાણી માળીયા તાલુકામાં દર વર્ષે હોનારત જેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે જેથી કરીને આ માટીના પાળાઓને દુર કરવામાં આવે તેવી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ના જનરલ સેક્રેટરીએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે
 
હાલમાં મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કેમોરબી જીલ્લામાં આવેલ મચ્છુ નદી મોરબી થઇને માળિયા(મી.) અને ત્યાંથી હળકીયા ક્રિકમાં દરિયામાં ભળી જાય છે  આ હળકીયા ક્રિકમાં મચ્છુ નદી દરિયામાં ભળે છે ત્યાં ઘણા બધા ફાટાઓ ઉપર મીઠાના અગર વાળાઓ દ્વારા મોટા મોટા માટીના પાળાઓ બનાવીને નદીના પાણીના નિકાલને બંધ કરવામાં આવેલ છે. જેના કારણે ચોમાસામાં લગભગ દર વર્ષે ભારે વરસાદ થતા માળિયા (મી.)માં પુર આવેલ છે. અને  જાન માલ ની નુક્શાની થાય છે. આ વર્ષે હજુ એવો ભારે વરસાદ  થયેલ નથી. પરંતુ જયારે થશે ત્યારે પુરની પરિસ્થિતિ ઉદભવશે. તો અગમચેતી રૂપે આ ગેરકાયદે બની ગયેલા પાળાઓ દુર કરવા માટે તાત્કાલિક કાર્યવાહી  કરવામાં આવે તેવી માગણી કરેલ છે. જો આ પાળાઓ દુર કરવામાં નહી આવે તો ભારે વરસાદ  આવતા માળિયા (મી.) માં પુરતી પરિસ્થિતિ ઉભી પાસે અને જાનમાલની નુકશાની પણ થશે તો આ બાબતે આવી નુકશાની થાય તે પહેલા અગમચેતી રૂપે આ પાળાઓ દુર કરવા માટે મુખ્યમંત્રી દ્વારા યોગ્ય આદેશ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે 






Latest News