ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું
Breaking news
Morbi Today

મોરબીના માટેલ રોડ ઉપર કારખાનામાં ઉંચાઇએથી પટકાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE













મોરબીના માટેલ રોડ ઉપર કારખાનામાં ઉંચાઇએથી પટકાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ રોડ ઉપરના કારખાનામાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતો આદિવાસી યુવાન ઊંચાઈએથી પડી જતા તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ એસ્પોન સીરામીક નામના યુનીટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો રાજેશ દયારામભાઈ આદિવાસી નામનો ૨૫ વર્ષીય યુવાન કારખાનામાં ઊંચાઈએથી નીચે પટકાયો હતો.જેથી કરીને તેને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ સિનર્જી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજેશ આદિવાસીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના રહેવાસી છગનભાઈ જાદવજીભાઈ અઘારા નામના ૬૮ વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે હળવદની મોરબી ચોકડી પાસે તેમના બાળકને અજાણ્યા ઇકો કારના ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત છગનભાઇને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.મોરબીના રવાપર ગામે રહેતો ક્રિશ ભાવેશભાઈ ખાંભલા નામનો ૧૩ વર્ષીય યુવાન ઘુંટુ ગામે રીક્ષામાંથી પડી જતાં ઇજાઓ થતાં તેને દવાખાને સારવારમાં લઈ જવાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના માળિયા હઇવે ઉપર આવેલા મધુપુર (નવું નાગડાવાસ) ગામે રહેતા ઇનાયત યુસુફભાઈ કુરેસી નામના ૩૪ વર્ષીય યુવાનને ગામમાં કોઈ બાબતે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો ત્યાંથી તાલુકા પોલીસને જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા ઉપરોક્ત મારામારીના બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News