ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના માટેલ રોડ ઉપર કારખાનામાં ઉંચાઇએથી પટકાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE

















મોરબીના માટેલ રોડ ઉપર કારખાનામાં ઉંચાઇએથી પટકાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ રોડ ઉપરના કારખાનામાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતો આદિવાસી યુવાન ઊંચાઈએથી પડી જતા તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ એસ્પોન સીરામીક નામના યુનીટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો રાજેશ દયારામભાઈ આદિવાસી નામનો ૨૫ વર્ષીય યુવાન કારખાનામાં ઊંચાઈએથી નીચે પટકાયો હતો.જેથી કરીને તેને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ સિનર્જી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજેશ આદિવાસીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના રહેવાસી છગનભાઈ જાદવજીભાઈ અઘારા નામના ૬૮ વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે હળવદની મોરબી ચોકડી પાસે તેમના બાળકને અજાણ્યા ઇકો કારના ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત છગનભાઇને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.મોરબીના રવાપર ગામે રહેતો ક્રિશ ભાવેશભાઈ ખાંભલા નામનો ૧૩ વર્ષીય યુવાન ઘુંટુ ગામે રીક્ષામાંથી પડી જતાં ઇજાઓ થતાં તેને દવાખાને સારવારમાં લઈ જવાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના માળિયા હઇવે ઉપર આવેલા મધુપુર (નવું નાગડાવાસ) ગામે રહેતા ઇનાયત યુસુફભાઈ કુરેસી નામના ૩૪ વર્ષીય યુવાનને ગામમાં કોઈ બાબતે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો ત્યાંથી તાલુકા પોલીસને જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા ઉપરોક્ત મારામારીના બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે.




Latest News