વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની દીકરીની સગાઈ છૂટી કરવાની વાત આવતા ચિત્રોડી ગામે વાડીની ઓરડીમાં ઝેરી દવા પીને કર્યો આપઘાત ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા
Breaking news
Morbi Today

હળવદના શરણેશ્વર તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત


SHARE













હળવદના શરણેશ્વર તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત

હળવદમાં આવેલ શરણેશ્વર તળાવમાં ડૂબી જવાના કારણે આધેડનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પી.એમ.માટે હળવદની સિવિલ હોસ્પિટલે લઈને ગયા હતા અને અકસ્માતનાં આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં શરણેશ્વર મંદિર નાકા પાસે રહેતા પરેશભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે દરજી (ઉંમર ૫૦) શરણેશ્વર તળાવમાં કોઈ કારણોસર ડૂબી ગયા હતા જેથી કરીને આ બનાવની તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા ત્યાં આવી હતી અને તળાવમાં પડી ગયેલા પરેશભાઈ રાઠોડના બોડીને તરવૈયાઓએ બહાર કાઢતા તેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત બનાવની નોંધ કરી રહ્યા આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News