હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

હળવદના શરણેશ્વર તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત


SHARE

















હળવદના શરણેશ્વર તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત

હળવદમાં આવેલ શરણેશ્વર તળાવમાં ડૂબી જવાના કારણે આધેડનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પી.એમ.માટે હળવદની સિવિલ હોસ્પિટલે લઈને ગયા હતા અને અકસ્માતનાં આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં શરણેશ્વર મંદિર નાકા પાસે રહેતા પરેશભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે દરજી (ઉંમર ૫૦) શરણેશ્વર તળાવમાં કોઈ કારણોસર ડૂબી ગયા હતા જેથી કરીને આ બનાવની તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા ત્યાં આવી હતી અને તળાવમાં પડી ગયેલા પરેશભાઈ રાઠોડના બોડીને તરવૈયાઓએ બહાર કાઢતા તેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત બનાવની નોંધ કરી રહ્યા આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News