ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પીએમ કિશાન યોજના હેઠળ eKYC માટેની સમય મર્યાદા લંબાવાઇ


SHARE













મોરબી જીલ્લામાં પીએમ કિશાન યોજના હેઠળ eKYC માટેની સમય મર્યાદા લંબાવાઇ

આગામી વર્ષ ૨૦૨૨-૨૩ થી PMKISAN યોજના હેઠળ નોંધયેલ તમામ ખેડુત પરિવારોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો અબાધિત રીતે મળતો રહે તેવા ઉમદા હેતુથી ખેડુતોના વિશાળ હિતને ધ્યાને રાખી eKYC માટેની સમયમર્યાદા તારીખ ૩૧-૦૭-૨૦૨૨ સુધી લંબાવામાં આવી છે. તમામ નોંધાયેલ ખેડુતોને PMKISAN (https://pmkisan.gov.in/) પોર્ટલ પર Farmers Corner માં eKYC વિકલ્પ પસંદ કરી પોતાની આધાર સંલગ્ન OTP ખરાઇ વહેલી તકે પુર્ણ કરવા જણાવાયું છે.

બાયોમેટ્રીક ખરાઇ માટે નજીકના સીએસસી કેન્દ્રનો સંપર્ક કરવો. વધુ જાણકારી માટે PM-Kisan Helpline No. 155261/011-24300606 અથવા પોતાના ગ્રામસેવક, તલાટી, ખેડૂતમિત્ર કે વીસીઇ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જીલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News