મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી બ્રિજેશભાઈના વરદ્ હસ્તે કાલે મચ્છુ-૨ નહેરની  માઈનર પાઇપ નહેરનું  લોકાર્પણ કરાશે


SHARE

















મોરબીમાં મંત્રી બ્રિજેશભાઈના વરદ્ હસ્તે કાલે મચ્છુ-૨ નહેરની  માઈનર પાઇપ નહેરનું  લોકાર્પણ કરાશે

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મચ્છુ-૨ સિંચાઈ યોજનાની મુખ્ય નહેરની ડાયરેક્ટ માઈનોર M-2/R ની પાઇપ નેહરનો લોકાર્પણ કાર્યક્રમ ૩૦મી જૂને સાંજે ૪ કલાકે યોજાશે.

મચ્છુ-૨સિંચાઈ યોજનાની મુખ્ય નહેરની ડાયરેક્ટ માઇનોર M-2/R નું રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ્ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ લોકાર્પણ થકી M-2/R ના કમાન્ડ વિસ્તારનાં ખાતેદારોને સિંચાઇની સુવિધા ઉપ્લબ્ધ થશે. આ કાર્યક્રમમાં રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા જિલ્લાના પદાધિકારી, અધિકારીઓ ઉપસ્થિત રહેશે.




Latest News