મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં વંદે ગુજરાત પ્રદર્શન-સખી મેળો મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ખુલ્લો મૂક્યો


SHARE















મોરબીમાં વંદે ગુજરાત પ્રદર્શન-સખી મેળો મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ખુલ્લો મૂક્યો

મોરબી જિલ્લામાં સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનને પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ખુલ્લુ મુકેલ છે અને મોરબીના એલ.ઈ. કોલેજના ગ્રાઉન્ડ આજથી આગામી ૮મી જુલાઈ સુધી આ પ્રદર્શની રાખવામા આવશે અને સખી મેળામાં રાજ્યના જુદાજુદા જિલ્લામાંથી સખી મંડળની બહેનો આવી છે અને તેમના માટે ૫૦ જેટલા સ્ટોલ પણ સખી મેળામાં રાખવામા આવેલ છે

ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાં સખી મેળા તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે આજથી મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડ ખાતે પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો અને વંદે ગુજરાત પ્રદર્શનમાં સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં લોકોમાં વિશ્વાસ વધારીને લોકોની સુખકારીમાં વધારો કરીને જે વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં આવી રહી છે તેની માહિતી આપવામાં આવી રહી છે તેમજ સખી મંડળો દ્વારા વેચાણ તેમજ પ્રદર્શન માટે ૫૦ જેટલા સ્ટોલ રાખવામા આવેલ છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, હળવદ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, નગરપાલિકના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા સહિત હાજર રહ્યા હતા ત્યારે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો તેમજ આમ જનતાની સુખકારીમાં વધારો કરવા માટે અનેક વિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તેનો અસંખ્ય ઓકોએ લાભ લીધો છે, લઈ રહ્યા છે અને આગામી દિવસોમાં પણ લેતા રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News