વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના આણંદપર નજીક બેલાની ખાણમાં વીજ શોર્ટ લગતા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના આણંદપર નજીક બેલાની ખાણમાં વીજ શોર્ટ લગતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના આણંદપર ગામે આવેલા બેલાની ખાણની અંદર મજૂરીકામ કરતા યુવાનને કામગીરી દરમિયાન વીજ કરંટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને મૃતક યુવાનના મૃતદેહને સિવિલ હોસ્પિટલે લઈને આવેલ હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના આણંદપર ગામ પાસે આવેલ છે હિરાભાઇની બેલાની ખાણમાં સંતોષ ફૂલચંદભાઈ નિશાદ (ઉંમર ૧૯) રહે. આણંદપર વાળો કામ કરતો હતો ત્યારે કામગીરી દરમિયાન તેને બેલાની ખાણમાં વિજ શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે


યુવાન ગુમ

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં ભુદેવ ડેરી સામેના ભાગમાં રહેતા સંદીપભાઈ સુરેશભાઈ ચૌહાણ જાતે રજપૂત (ઉંમર ૩૬) પોતાના ઘરેથી કામે જાવ છું તેમ કહીને તા ૧૦/૮ ના રોજ સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં નીકળ્યા હતા અને ત્યારબાદ તે ઘરે પરત આવેલ નથી અને તેનો કોઇ પણ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કરીને સંદીપભાઈ ચૌહાણ ગુમ થયા હોવા અંગેની તેના નાના ભાઈ કિશનભાઇ સુરેશભાઈ ચૌહાણ (ઉંમર ૨૬) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે ગુમસુધા નોંધીને ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News