મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના આણંદપર નજીક બેલાની ખાણમાં વીજ શોર્ટ લગતા યુવાનનું મોત


SHARE









વાંકાનેરના આણંદપર નજીક બેલાની ખાણમાં વીજ શોર્ટ લગતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના આણંદપર ગામે આવેલા બેલાની ખાણની અંદર મજૂરીકામ કરતા યુવાનને કામગીરી દરમિયાન વીજ કરંટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને મૃતક યુવાનના મૃતદેહને સિવિલ હોસ્પિટલે લઈને આવેલ હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના આણંદપર ગામ પાસે આવેલ છે હિરાભાઇની બેલાની ખાણમાં સંતોષ ફૂલચંદભાઈ નિશાદ (ઉંમર ૧૯) રહે. આણંદપર વાળો કામ કરતો હતો ત્યારે કામગીરી દરમિયાન તેને બેલાની ખાણમાં વિજ શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે


યુવાન ગુમ

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં ભુદેવ ડેરી સામેના ભાગમાં રહેતા સંદીપભાઈ સુરેશભાઈ ચૌહાણ જાતે રજપૂત (ઉંમર ૩૬) પોતાના ઘરેથી કામે જાવ છું તેમ કહીને તા ૧૦/૮ ના રોજ સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં નીકળ્યા હતા અને ત્યારબાદ તે ઘરે પરત આવેલ નથી અને તેનો કોઇ પણ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કરીને સંદીપભાઈ ચૌહાણ ગુમ થયા હોવા અંગેની તેના નાના ભાઈ કિશનભાઇ સુરેશભાઈ ચૌહાણ (ઉંમર ૨૬) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે ગુમસુધા નોંધીને ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News