મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા જગન્નાથ રથયાત્રાનુ આયોજન


SHARE







મોરબીમાં આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા જગન્નાથ રથયાત્રાનુ આયોજન

આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનના મોરબી કેન્દ્ર દ્વારા ૯ જુલાઈને શનિવારે વિશ્વ પ્રસિધ્ધ જગન્નાથ ભગવાનની રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે જે રથયાત્રા બપોરે ૩ વાગ્યા થી રવાપર ચોકડી વિસ્તારથી શરુ થશે અને ગાંધીચોકથી ઉમીયા સર્કલ થઇને રવાપર ચોકડી પહોંચશે.

આ રથયાત્રામા ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલદેવ અને બહેન સુભદ્રાની સાથે વિશાળ રથ ઉપર બિરાજમાન થશે અને નગરભ્રમણ કરશે ત્યારે ભક્તજનો દ્વારા ભગવાનના રથ ખેંચવામાં આવશે. અને રથ દોરવાની મોટી મહિમા શાસ્ત્રોમા ઉલ્લેખીત છે. ત્યારે વડોદરા, જામનગર, રાજકોટની સાથે રશિયા, કઝાકિસ્તાન તથા યુક્રેનથી ભક્તો આ રથયાત્રામાં વિશેષ ઉપસ્થિત રહેશે. અને રથયાત્રા સમાપન પછી દરેક ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા આયોજકો દ્વારા રાખવામા આવી છે જેથી કરીને આ ધાર્મિક પ્રસંગમાં વધુમાં વધુ લોકોને જોડાવા માટે આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનના મોરબી કેન્દ્રના સંચાલકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News