મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા જગન્નાથ રથયાત્રાનુ આયોજન


SHARE









મોરબીમાં આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા જગન્નાથ રથયાત્રાનુ આયોજન

આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનના મોરબી કેન્દ્ર દ્વારા ૯ જુલાઈને શનિવારે વિશ્વ પ્રસિધ્ધ જગન્નાથ ભગવાનની રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે જે રથયાત્રા બપોરે ૩ વાગ્યા થી રવાપર ચોકડી વિસ્તારથી શરુ થશે અને ગાંધીચોકથી ઉમીયા સર્કલ થઇને રવાપર ચોકડી પહોંચશે.

આ રથયાત્રામા ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલદેવ અને બહેન સુભદ્રાની સાથે વિશાળ રથ ઉપર બિરાજમાન થશે અને નગરભ્રમણ કરશે ત્યારે ભક્તજનો દ્વારા ભગવાનના રથ ખેંચવામાં આવશે. અને રથ દોરવાની મોટી મહિમા શાસ્ત્રોમા ઉલ્લેખીત છે. ત્યારે વડોદરા, જામનગર, રાજકોટની સાથે રશિયા, કઝાકિસ્તાન તથા યુક્રેનથી ભક્તો આ રથયાત્રામાં વિશેષ ઉપસ્થિત રહેશે. અને રથયાત્રા સમાપન પછી દરેક ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા આયોજકો દ્વારા રાખવામા આવી છે જેથી કરીને આ ધાર્મિક પ્રસંગમાં વધુમાં વધુ લોકોને જોડાવા માટે આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનના મોરબી કેન્દ્રના સંચાલકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News