મોરબીમાં રવિવારે નવરંગ નેચર ક્લબ દ્રારા પ્રાકૃતીક વસ્તુઓનું વાજબીભાવે વિતરણ
મોરબીમાં આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા જગન્નાથ રથયાત્રાનુ આયોજન
SHARE
મોરબીમાં આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા જગન્નાથ રથયાત્રાનુ આયોજન
આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનના મોરબી કેન્દ્ર દ્વારા ૯ જુલાઈને શનિવારે વિશ્વ પ્રસિધ્ધ જગન્નાથ ભગવાનની રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે જે રથયાત્રા બપોરે ૩ વાગ્યા થી રવાપર ચોકડી વિસ્તારથી શરુ થશે અને ગાંધીચોકથી ઉમીયા સર્કલ થઇને રવાપર ચોકડી પહોંચશે.
આ રથયાત્રામા ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલદેવ અને બહેન સુભદ્રાની સાથે વિશાળ રથ ઉપર બિરાજમાન થશે અને નગરભ્રમણ કરશે ત્યારે ભક્તજનો દ્વારા ભગવાનના રથ ખેંચવામાં આવશે. અને રથ દોરવાની મોટી મહિમા શાસ્ત્રોમા ઉલ્લેખીત છે. ત્યારે વડોદરા, જામનગર, રાજકોટની સાથે રશિયા, કઝાકિસ્તાન તથા યુક્રેનથી ભક્તો આ રથયાત્રામાં વિશેષ ઉપસ્થિત રહેશે. અને રથયાત્રા સમાપન પછી દરેક ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા આયોજકો દ્વારા રાખવામા આવી છે જેથી કરીને આ ધાર્મિક પ્રસંગમાં વધુમાં વધુ લોકોને જોડાવા માટે આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનના મોરબી કેન્દ્રના સંચાલકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે