મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ યુવાન કોરોનાના લીધે આર્થિક ભિસથી કંટાળીને જતો રહયો હોવાનું ખૂલ્યું


SHARE







મોરબીમાંથી ગુમ થયેલ યુવાન કોરોનાના લીધે આર્થિક ભિસથી કંટાળીને જતો રહયો હોવાનું ખૂલ્યું

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતો અને હોમલોનનું કામકાજ કરતો યુવાન થઇ ગયો હતો જેની પરિવારે ઘરમેળે શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરતાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુમસુધા નોંધ કરીને તપાસ હાથ ધરી હતી દરમ્યાન આ યુવાન મળી આવેલ છે અને આર્થિક ભીંસના લીધે તે ઘરેથી ચાલ્યો ગયો હોવાની માહિતી સામે આવી છે

શહેરના નવલખી રોડ લાયન્સનગર વિસ્તારમાં સરમાળીયા દાદાના મંદિર નજીક રહેતા મીનાબેન વાલજીભાઈ ચાવડાએ બો ડિવિઝન પોલીસ મથકે જાણ કરી જણાવ્યું હતું કે, તેમનો દિકરો ધીરજ વાલજીભાઈ ચાવડા (૨૨) ગત તા.૨૯-૭ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઘરેથી કંઇ કહ્યા વગર બહાર નીકળ્યો હતો અને બાદમાં તે પરત ન આવતાં તેની શોધખોળ કરવામાં આવી હતી છતાં પણ ધીરજનો પત્તો ન લાગતાં અંતે પોલીસને જાણ કરવામાં આવેલ છે. અને ગુમ થયેલ ધીરજ હોમલોનનું કામકાજ કરતો હતો જેની શોધખોળ કરવામાં આવી રહી હતી તેવામાં તે મળી આવ્યો છે અને પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી માહિતી સામે આવી છે કે, ધીરજ હોમલોનનું કામકાજ કરતો હતો જો કે, કોરોનાના લીધે તેમાં મંડી આવી ગઈ હોવાથી કામ ધંધો ચાલતો ન હતો અને આર્થિક ભીંસ હતી જેથી તે ઘરેથી ચાલ્યો ગયો હતો

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News