ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ યુવાન કોરોનાના લીધે આર્થિક ભિસથી કંટાળીને જતો રહયો હોવાનું ખૂલ્યું


SHARE













મોરબીમાંથી ગુમ થયેલ યુવાન કોરોનાના લીધે આર્થિક ભિસથી કંટાળીને જતો રહયો હોવાનું ખૂલ્યું

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતો અને હોમલોનનું કામકાજ કરતો યુવાન થઇ ગયો હતો જેની પરિવારે ઘરમેળે શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરતાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુમસુધા નોંધ કરીને તપાસ હાથ ધરી હતી દરમ્યાન આ યુવાન મળી આવેલ છે અને આર્થિક ભીંસના લીધે તે ઘરેથી ચાલ્યો ગયો હોવાની માહિતી સામે આવી છે

શહેરના નવલખી રોડ લાયન્સનગર વિસ્તારમાં સરમાળીયા દાદાના મંદિર નજીક રહેતા મીનાબેન વાલજીભાઈ ચાવડાએ બો ડિવિઝન પોલીસ મથકે જાણ કરી જણાવ્યું હતું કે, તેમનો દિકરો ધીરજ વાલજીભાઈ ચાવડા (૨૨) ગત તા.૨૯-૭ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઘરેથી કંઇ કહ્યા વગર બહાર નીકળ્યો હતો અને બાદમાં તે પરત ન આવતાં તેની શોધખોળ કરવામાં આવી હતી છતાં પણ ધીરજનો પત્તો ન લાગતાં અંતે પોલીસને જાણ કરવામાં આવેલ છે. અને ગુમ થયેલ ધીરજ હોમલોનનું કામકાજ કરતો હતો જેની શોધખોળ કરવામાં આવી રહી હતી તેવામાં તે મળી આવ્યો છે અને પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી માહિતી સામે આવી છે કે, ધીરજ હોમલોનનું કામકાજ કરતો હતો જો કે, કોરોનાના લીધે તેમાં મંડી આવી ગઈ હોવાથી કામ ધંધો ચાલતો ન હતો અને આર્થિક ભીંસ હતી જેથી તે ઘરેથી ચાલ્યો ગયો હતો

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News