મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઉપર ગાયે હડફેટે લેતા વૃદ્ધા સારવારમાં


SHARE







મોરબીના પંચાસર રોડ ઉપર ગાયે હડફેટે લેતા વૃદ્ધા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર પગપાળા જતા વૃદ્ધ મહિલાને ગાયે હડફેટે લેતા મહિલાને સારવારમાં ખસેડાયા છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા હાજરાબેન ઉમરભાઈ ચાનીયા નામની ૫૦ વર્ષીય વૃદ્ધા રાશનની દુકાનેથી રાશન લઈને ઘરે જતા હતા ત્યારે ગાયે તેમને હડફેટે લેતા જમણા હાથે ઈજાગ્રસ્ત હાલતમાં હાજરાબેનને અહીંની હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ ધ્રુવ હોસ્પિટલ નજીક રહેતો અજય મનહરભાઈ પરમાર નામનો ૨૭ વર્ષીય યુવાન તા.૧૨-૮ ના સાંજના સમયે કામેથી ઘરે પરત જતો હતો ત્યારે કંડલા બાયપાસ ઉપર આવેલ સુરત ગેસ્ટ હાઉસ નજીક ભંગારના ડેલા પાસે તેના બાઇકની આડે અચાનક કૂતરૂ ઉતરતાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ થતા અજય પરમારને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના જોધપર ગામે અરવિંદભાઈ દેકાવાડીયાની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી ગયેલા મંજેશભાઈ નનુભાઈ મેહુડા નામના ૨૧ વર્ષીય યુવાનને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો.

 

મહિલા-બાળકી સારવારમાં

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા આશાબેન કિરીટભાઈ સોલંકી નામની ૪૨ વર્ષીય મહિલાને વીંછી કરડી જતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે મોરબી તાલુકાના ચાંચાપર ગામે આવેલ બસ સ્ટેશન નજીક પ્રિયાબેન રમેશભાઈ પઢીયાર નામની ૧૪ વર્ષિય બાળકીને કોઈ અજાણ્યું જીવડું કરડી જતાં તેણીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News