ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઉપર ગાયે હડફેટે લેતા વૃદ્ધા સારવારમાં


SHARE













મોરબીના પંચાસર રોડ ઉપર ગાયે હડફેટે લેતા વૃદ્ધા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર પગપાળા જતા વૃદ્ધ મહિલાને ગાયે હડફેટે લેતા મહિલાને સારવારમાં ખસેડાયા છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા હાજરાબેન ઉમરભાઈ ચાનીયા નામની ૫૦ વર્ષીય વૃદ્ધા રાશનની દુકાનેથી રાશન લઈને ઘરે જતા હતા ત્યારે ગાયે તેમને હડફેટે લેતા જમણા હાથે ઈજાગ્રસ્ત હાલતમાં હાજરાબેનને અહીંની હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ ધ્રુવ હોસ્પિટલ નજીક રહેતો અજય મનહરભાઈ પરમાર નામનો ૨૭ વર્ષીય યુવાન તા.૧૨-૮ ના સાંજના સમયે કામેથી ઘરે પરત જતો હતો ત્યારે કંડલા બાયપાસ ઉપર આવેલ સુરત ગેસ્ટ હાઉસ નજીક ભંગારના ડેલા પાસે તેના બાઇકની આડે અચાનક કૂતરૂ ઉતરતાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ થતા અજય પરમારને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના જોધપર ગામે અરવિંદભાઈ દેકાવાડીયાની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી ગયેલા મંજેશભાઈ નનુભાઈ મેહુડા નામના ૨૧ વર્ષીય યુવાનને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો.

 

મહિલા-બાળકી સારવારમાં

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા આશાબેન કિરીટભાઈ સોલંકી નામની ૪૨ વર્ષીય મહિલાને વીંછી કરડી જતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે મોરબી તાલુકાના ચાંચાપર ગામે આવેલ બસ સ્ટેશન નજીક પ્રિયાબેન રમેશભાઈ પઢીયાર નામની ૧૪ વર્ષિય બાળકીને કોઈ અજાણ્યું જીવડું કરડી જતાં તેણીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News