માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દારૂ અને બિયરની 19,068 બોટલ ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા, મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો નોંધાયો મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં લમ્પી ડીસીઝના ૬૦ કેસ: ૭૦૦૦ થી વધુ ઢોરને રસી મૂકવામાં આવી


SHARE













વાંકાનેર તાલુકામાં લમ્પી ડીસીઝના ૬૦ કેસ: ૭૦૦૦ થી વધુ ઢોરને રસી મૂકવામાં આવી

હાલમાં ગાય/ભેંસમાં નવો રોગ લમ્પી સ્કીન ડીસીઝ-ગાંઠદાર ચામડીનો રોગ વધુ જોવા મળી રહયો છે ત્યારે જો વાત કરીએ વાંકાનેર તાલુકાની તો આ તાલુકામાં ૬૦ જેટલા લમ્પીના કેસ નોંધાયા છે જે ઢોરને લમ્પીનો રોગ છે તેની સારવાર ચાલી રહી છે સાથોસાથ તાલુકામાં ૭૦૦૦ જેટલા ઢોરને રસી પણ મૂકવામાં આવી છે

અત્યાર સુધી મોરબી જિલ્લાના ૮૫ જેટલા ગામમાં ૨૬૭ પશુઓમાં લમ્પી રોગ જોવા મળ્યો છે. અને દિન પ્રતિદિન કેસ મળી રહ્યા છે ત્યારે જો વાંકાનેર તાલુકાની વાત કરીએ તો આજની તારીખે આ તાલુકામાં ૬૦ થી વધુ કેસ છે અને હજુ પણ કેસ વધે તેવી શ્ક્યતા છે ત્યારે ૧૯૬૨ - મોબાઈલ પશુ દવાખાના તેમજ પશુ દવાખાનાની ટીમ દ્વારા સારવાર ઢોરની સારવાર કરવામાં આવી રહી છે. અને પશુઓમાં આ રોગ પ્રવેશ ન કરે તે માટે રસીકરણ ઝુંબેશ પણ કરવામાં આવી રહી છે પશુપાલન વિભાગ દ્વારા પશુઓને સુરક્ષિત બનાવવા કવાયત કરવામાં આવી રહી છે ખાસ કરીને જે વિસ્તારમાં વધુ કેસ જોવા મળે છે તે પંથકમાં આસપાસના વિસ્તારમાં વેક્સિનેશન તેમજ સારવાર ઝડપી મળી રહે તે માટે પશુપાલન વિભાગ અને મોબાઈલ પશુ દવાખાના તથા કરૂણા એમ્યુલન્સ સહિતની ટીમ ખડે પગે રહે છે. આ રોગ માખી, મચ્છર, જૂ, ઇતરડી દ્વારા તથા સીધા સંપર્ક દ્વારા ફેલાતો હોઈ પશુઓની આસપાસ સાફ સફાઈ રાખવી, પશુમાં આ બીમારીના લક્ષણ જણાયે તેને અલગ રાખવું તેમજ તુરંત જ સારવાર માટે નજીકના દવાખાનમાં કે હેલ્પ લાઈન નંબર ૧૯૬૨ ને જાણ કરવા માટે જણાવ્યુ છે






Latest News