મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં લમ્પી ડીસીઝના ૬૦ કેસ: ૭૦૦૦ થી વધુ ઢોરને રસી મૂકવામાં આવી


SHARE









વાંકાનેર તાલુકામાં લમ્પી ડીસીઝના ૬૦ કેસ: ૭૦૦૦ થી વધુ ઢોરને રસી મૂકવામાં આવી

હાલમાં ગાય/ભેંસમાં નવો રોગ લમ્પી સ્કીન ડીસીઝ-ગાંઠદાર ચામડીનો રોગ વધુ જોવા મળી રહયો છે ત્યારે જો વાત કરીએ વાંકાનેર તાલુકાની તો આ તાલુકામાં ૬૦ જેટલા લમ્પીના કેસ નોંધાયા છે જે ઢોરને લમ્પીનો રોગ છે તેની સારવાર ચાલી રહી છે સાથોસાથ તાલુકામાં ૭૦૦૦ જેટલા ઢોરને રસી પણ મૂકવામાં આવી છે

અત્યાર સુધી મોરબી જિલ્લાના ૮૫ જેટલા ગામમાં ૨૬૭ પશુઓમાં લમ્પી રોગ જોવા મળ્યો છે. અને દિન પ્રતિદિન કેસ મળી રહ્યા છે ત્યારે જો વાંકાનેર તાલુકાની વાત કરીએ તો આજની તારીખે આ તાલુકામાં ૬૦ થી વધુ કેસ છે અને હજુ પણ કેસ વધે તેવી શ્ક્યતા છે ત્યારે ૧૯૬૨ - મોબાઈલ પશુ દવાખાના તેમજ પશુ દવાખાનાની ટીમ દ્વારા સારવાર ઢોરની સારવાર કરવામાં આવી રહી છે. અને પશુઓમાં આ રોગ પ્રવેશ ન કરે તે માટે રસીકરણ ઝુંબેશ પણ કરવામાં આવી રહી છે પશુપાલન વિભાગ દ્વારા પશુઓને સુરક્ષિત બનાવવા કવાયત કરવામાં આવી રહી છે ખાસ કરીને જે વિસ્તારમાં વધુ કેસ જોવા મળે છે તે પંથકમાં આસપાસના વિસ્તારમાં વેક્સિનેશન તેમજ સારવાર ઝડપી મળી રહે તે માટે પશુપાલન વિભાગ અને મોબાઈલ પશુ દવાખાના તથા કરૂણા એમ્યુલન્સ સહિતની ટીમ ખડે પગે રહે છે. આ રોગ માખી, મચ્છર, જૂ, ઇતરડી દ્વારા તથા સીધા સંપર્ક દ્વારા ફેલાતો હોઈ પશુઓની આસપાસ સાફ સફાઈ રાખવી, પશુમાં આ બીમારીના લક્ષણ જણાયે તેને અલગ રાખવું તેમજ તુરંત જ સારવાર માટે નજીકના દવાખાનમાં કે હેલ્પ લાઈન નંબર ૧૯૬૨ ને જાણ કરવા માટે જણાવ્યુ છે






Latest News