મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

વેદોનો ગુજરાતી અનુવાદ કરનારા ટંકારાના પ્રોફેસર દયાલ મુનિજીએ આર્ય સમાજને આપી 10 લાખની સ્મૃતિભેટ


SHARE













વેદોનો ગુજરાતી અનુવાદ કરનારા ટંકારાના પ્રોફેસર દયાલ મુનિજીએ આર્ય સમાજને આપી 10 લાખની સ્મૃતિભેટ

ટંકારા માં વેદનું ગુજરાતી ભાષાંતર કરનારા પ્રો.દયાલ મુનીજી દ્વારાપત્ની ના નિધન થતાં શ્રદ્ધાંજલી રૂપે આર્ય સમાજ (ત્રણ હાટડી) ને10 લાખનું યોગદાન અપાયેલ છે આર્ય સમાજ ટંકારા (ત્રણ હાટડી શેરી) માં શ્રી દયાલ મુનિજી આર્યના ધર્મપત્ની સ્મૃતિશેષ વસંતબેન દયાળજીભાઈ પરમાર ના અવસાન નિમિત્તે શ્રદ્ધાંજલિ સભા યોજાયેલ

જેમાં અનેક આર્ય મહિલાઓ ,આર્ય સદસ્યો તથા પરમાર પરિવારના પરિવારજનો દ્વારા વસંતબેનને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ઉપરાંત ગુજરાતની અને ગુજરાત બહારની અનેક આર્ય સમાજમાં વસંતબેનની યાદમાં શાંતિ યજ્ઞ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયા હતા ગુજરાતભર ની આર્ય સમાજ દ્વારા શોક સંદેશ પાઠવવામાં પણ આવ્યા હતા, આ કાર્યક્રમ માં દયાલ મુનિજી દ્વારા નિર્મિત વેદ નું ગુજરાતી અનુવાદ તથા તેમના દ્વારા લખાયેલું સાહિત્ય અને આયુર્વેદના પુસ્તકો તેમના દ્વારા કરવામાં આવેલ અનુવાદો, સંપાદન ની તમામ ભૂમિકામાં તેમની પત્નીનો ખુબ સારો સહયોગ રહ્યો

અને આપણે ત્યાં કહેવાય છે તે મુજબ સફળ પુરુષની પાછળ એક આદર્શ સ્ત્રીનો પણ પૂરતો સાથ હોય છે મારી સફળતા માં મારી ધર્મ પત્ની વસંત બેન નો સંપુર્ણ સાથ હતો. દયાલમૂની જી દ્વારા પોતાના ધર્મપત્નીને શ્રદ્ધાંજલિ રૂપે પોતાની પત્ની નું ઋણ સ્વીકારતા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી દયાળ મુનિ એ અકલ્પનીય આર્થિક યોગદાન આર્ય સમાજ ટંકારા ના મંત્રીશ્રી દેવકુમાર પડસુંબીયા ને 10 લાખ રૂપિયાનો ચેક આર્ય સમાજ માટે અર્પણ કર્યો હતો. જે સમાજને માટે તથા એક આદર્શ ઉદાહરણ દાંપત્ય જીવનનું પુરુ પાડેલ છે બાબતે પ્રેરણા મળશે. આર્ય સમાજ વતી ધ્યાલ મુનીજીનો હ્વદયથી આભાર માનેલ છે.






Latest News