મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વેદોનો ગુજરાતી અનુવાદ કરનારા ટંકારાના પ્રોફેસર દયાલ મુનિજીએ આર્ય સમાજને આપી 10 લાખની સ્મૃતિભેટ


SHARE







વેદોનો ગુજરાતી અનુવાદ કરનારા ટંકારાના પ્રોફેસર દયાલ મુનિજીએ આર્ય સમાજને આપી 10 લાખની સ્મૃતિભેટ

ટંકારા માં વેદનું ગુજરાતી ભાષાંતર કરનારા પ્રો.દયાલ મુનીજી દ્વારાપત્ની ના નિધન થતાં શ્રદ્ધાંજલી રૂપે આર્ય સમાજ (ત્રણ હાટડી) ને10 લાખનું યોગદાન અપાયેલ છે આર્ય સમાજ ટંકારા (ત્રણ હાટડી શેરી) માં શ્રી દયાલ મુનિજી આર્યના ધર્મપત્ની સ્મૃતિશેષ વસંતબેન દયાળજીભાઈ પરમાર ના અવસાન નિમિત્તે શ્રદ્ધાંજલિ સભા યોજાયેલ

જેમાં અનેક આર્ય મહિલાઓ ,આર્ય સદસ્યો તથા પરમાર પરિવારના પરિવારજનો દ્વારા વસંતબેનને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ઉપરાંત ગુજરાતની અને ગુજરાત બહારની અનેક આર્ય સમાજમાં વસંતબેનની યાદમાં શાંતિ યજ્ઞ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયા હતા ગુજરાતભર ની આર્ય સમાજ દ્વારા શોક સંદેશ પાઠવવામાં પણ આવ્યા હતા, આ કાર્યક્રમ માં દયાલ મુનિજી દ્વારા નિર્મિત વેદ નું ગુજરાતી અનુવાદ તથા તેમના દ્વારા લખાયેલું સાહિત્ય અને આયુર્વેદના પુસ્તકો તેમના દ્વારા કરવામાં આવેલ અનુવાદો, સંપાદન ની તમામ ભૂમિકામાં તેમની પત્નીનો ખુબ સારો સહયોગ રહ્યો

અને આપણે ત્યાં કહેવાય છે તે મુજબ સફળ પુરુષની પાછળ એક આદર્શ સ્ત્રીનો પણ પૂરતો સાથ હોય છે મારી સફળતા માં મારી ધર્મ પત્ની વસંત બેન નો સંપુર્ણ સાથ હતો. દયાલમૂની જી દ્વારા પોતાના ધર્મપત્નીને શ્રદ્ધાંજલિ રૂપે પોતાની પત્ની નું ઋણ સ્વીકારતા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી દયાળ મુનિ એ અકલ્પનીય આર્થિક યોગદાન આર્ય સમાજ ટંકારા ના મંત્રીશ્રી દેવકુમાર પડસુંબીયા ને 10 લાખ રૂપિયાનો ચેક આર્ય સમાજ માટે અર્પણ કર્યો હતો. જે સમાજને માટે તથા એક આદર્શ ઉદાહરણ દાંપત્ય જીવનનું પુરુ પાડેલ છે બાબતે પ્રેરણા મળશે. આર્ય સમાજ વતી ધ્યાલ મુનીજીનો હ્વદયથી આભાર માનેલ છે.






Latest News