મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ૪૦ લાખની ચોરીની સ્ટોરી આંગડિયા પેઢીના કર્મચારીઓએ ઊભી કરી હોવાનો ધડાકો


SHARE













મોરબીમાં ૪૦ લાખની ચોરીની સ્ટોરી આંગડિયા પેઢીના કર્મચારીઓએ ઊભી કરી હોવાનો ધડાકો

મોરબીની આંગડિયા પેઢીના બે વ્યક્તિ જુદાજુદા થેલામાં રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના ભરીને ભુજ તરફથી મોરબી આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એસટી બસમાં રોકડ રકમ ભરેલ થેલો ઉપડી ગયો હોવાની જાહેરાત આંગડિયા પેઢીના કર્મચારીઓ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી જેથી પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી અને ચોરીની કોઈ ઘટના જ ન બની હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં ચોરીની જાહેરાત કરનારાઓએ ચોરીની સ્ટોરી ઊભી કરી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તે બંને શખ્સની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

ગત ૨૬ જુલાઈના રોજ ભુજ-રાજકોટ રૂટની એસ.ટી. બસમાં મહેન્દ્ર પ્રવિણ આંગડીયા પેઢીના રાજકોટના બે કર્મચારીઓ અલગ અલગ ત્રણ થેલા લઇને ભુજથી રાજકોટ આવતા હતા. ત્યારે એક થેલાની રોકડા ૩૦ લાખ તથા ૧૦ લાખના સોના-ચાંદીના દાગીના ભરેલ થેલાની ચાલુ બસે કોઇ અજાણ્યા શખ્સે ચોરી કરી હોવાની જાહેરાત તે કર્મચારીઓ દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી જેથી કરીને સ્થાનિક પોલીસ અને એલસીબીની ટિમ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી અને ચોરીની કોઈ ઘટના જ બની ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે મહેન્દ્ર પ્રવિણ આંગડીયા પેઢીના કર્મચારી આનંદજી હમીરજી પરમાર રહે. હાલ સોની બજાર રાજકોટ મુળ રહે પાટણ અને અજીતસિંહ નથાજી પરમાર રહે. સબોસણ જિલ્લો પાટણવાળાની ધરપકડ કરેલ છે અને તેને સિધ્ધરાજસિંહ સરતનજી પરમાર રહે. કોસા જિલ્લો પાટણ વાળા સાથે મળીને થેલો ગાયબ કરવાનો પ્લાન કર્યો હોવાની કબૂલાત આપી છે જેથી બે આરોપીને પકડીને પોલીસે ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અત્રે ઉલેખનીય છે કે, સિધ્ધરાજસિંહ પરમારને આદિપુર બસ સ્ટેન્ડ ખાતે બોલાવી તે પણ ભુજ-રાજકોટ રૂટની બસમાં બેસી ગયેલ હતો અને ભચાઉની ટિકિટ લઈ આ બન્ને કર્મચારીઓએ રોકડ રૂપીયા તથા સોના-ચાંદીના પાર્સલ ભરેલ થેલો તેને આપી દીધો હતો જે થેલો લઇને તે ભચાઉ બસ સ્ટેન્ડે ઉતારી ગયેલ હતો. અને બાકીના બંને આરોપીઓએ મોરબી આવીને ચોરીની જાહેરાત કરી હતી આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઈ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. અને પેરલો ફર્લો સ્કવોડ તેમજ ટેકનીકલ ટીમ, એએચટિયુંના કર્મચારીએ કરી હતી






Latest News