માળિયા (મી)ના કાજરડા ગામે એસિડ પીને બ્લેડ વડે હાથ ઉપર ચેકા મારતા યુવતી સારવારમાં
મોરબી જલારામ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે બરફના શિવલીંગના દર્શન યોજાશે
SHARE
મોરબી જલારામ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે બરફના શિવલીંગના દર્શન યોજાશે
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણમાસના પ્રથમ સોમવારે શિવભક્તો માટે બરફ ના શિવલીંગ ના દર્શન નુ અનેરુ આયોજન કરવામાં આવેલ છે.તે ઉપરાંત પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દેવાધિદેવ મહાદેવના અભિષેક માટે ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવા મા આવશે.
મોરબી જલારામ મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે ત્યારે શ્રાવણમાસ દરમિયાન દર સોમવારે ભક્તજનો માટે ફરાળ મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવશે.મહાદેવના રૂદ્રાભિષેક, લઘુરુદ્રી સહીતની પૂજા માટે ભાવીનભાઈ ઘેલાણી (મો.૮૭૫૮૧ ૨૦૪૩૫), અનિલભાઈ સોમૈયા (મો.૮૫૧૧૦ ૬૦૦૬૬), હીતેશભાઈ જાની (મો.૯૮૨૫૩ ૨૬૭૨૯), ચિરાગભાઈ રાચ્છ (મો.૯૦૯૯૬ ૦૦૦૮૧) નો સંપર્ક કરવો તેમ સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે