ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની શાળામાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા કરાવશે અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરાશે


SHARE













મોરબીની શાળામાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા કરાવશે અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરાશે

મોરબી માળીયા (મી) ના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે ૩૧ જુલાઈના રોજ સવારે ૯:૦૦ કલાકે શ્રી મ.જી. મહેતા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર તેમજ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરવામાં આવશે.

આ તકે મંત્રી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ વિડજા, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર, રોબોટાસ્ક ટેકનોલોજીના સી.ઈ.ઓ. ડો. પાર્થભાઈ ભાવસાર તેમજ સરસ્વતી શિશુમંદિર-મોરબીના મુખ્ય વ્યવસ્થાપક જયંતિભાઈ રાજકોટિયા, સરસ્વતી શિશુમંદિર-મોરબીના નિયામક સુનિલભાઈ પરમાર, માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠનના પ્રમુખશ્રી ડૉ. બાબુભાઈ અઘારા અને  શાળાના સંચાલકશ્રીઓ, વ્યવસ્થાપકશ્રી તેમજ સ્ટાગણ ઉપસ્થિત રહેશે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચી કેળવાય તે હેતુથી કેન્દ્ર સરકારે નક્કી કરેલા માપદંડોમાં ખરી ઉતરીને શાળાને આ લેબ ફાળવવામાં આવી છે. આ લેબ અંતર્ગત ભૌતિક વિજ્ઞાન તથા એન્જિનિયરિંગના અભ્યાસમાં ઉપયોગી પ્રયોગ માટેની વિપુલ સાધન સામગ્રીથી સજ્જ લેબ આ શાળામાં તૈયાર થઈ ગઈ છે જેનો વિદ્યાર્થીઓને લાભ મળશે.

રાજ્યમંત્રી કિરીટસિંહ રાણા રવિવારે મોરબીમાં

વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી રાજ્યમંત્રી કિરીટસિંહ રાણા મોરબી જિલ્લાના પ્રવાસે આવનાર છે. તેઓ ૩૧ જુલાઈના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાજપૂત સમાજ ભવન, પંચાસર ખાતે મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨:૩૦ કલાકે પંચમુખી હનુમાનજી મંદિર, વેજીટેબલ રોડ, મોરબી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

મંત્રી બ્રિજેશભાઇ મેરજા મોરબી જિલ્લાના પ્રવાસે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા ૩૧મી જુલાઇના બે દિવસના મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. મંત્રી બ્રિજેશભાઇ મેરજા ૩૧મી જુલાઈ-૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે મોરબી શીશુમંદિર ખાતે સ્થાનિક કાર્યક્રમમાં તેમજ સવારે ૧૦:૩૦ કલાકે વાંકાનેર ખાતે મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૦૪:૦૦ કલાકે શ્રી ઉમીયા ક્લાસ ફોરમ દ્વારા આયોજીત વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. આગામી તા.૧/૮ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મોરબી ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા રખાયેલ રાખી મેળોનું લોકાર્પણ કાર્યક્રમ તથા સવારે ૧૦:૩૦ કલાકે મોરબી જિલ્લા પંચાયત દ્વારા ટ્રેકટર, ટ્રોલી અને જેટીંગ મશીન વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨:૦૦ કલાકે જુના ઘાંટીલા ખાતે સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપશે.






Latest News