મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની શાળામાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા કરાવશે અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરાશે


SHARE







મોરબીની શાળામાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા કરાવશે અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરાશે

મોરબી માળીયા (મી) ના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે ૩૧ જુલાઈના રોજ સવારે ૯:૦૦ કલાકે શ્રી મ.જી. મહેતા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર તેમજ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરવામાં આવશે.

આ તકે મંત્રી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ વિડજા, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર, રોબોટાસ્ક ટેકનોલોજીના સી.ઈ.ઓ. ડો. પાર્થભાઈ ભાવસાર તેમજ સરસ્વતી શિશુમંદિર-મોરબીના મુખ્ય વ્યવસ્થાપક જયંતિભાઈ રાજકોટિયા, સરસ્વતી શિશુમંદિર-મોરબીના નિયામક સુનિલભાઈ પરમાર, માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠનના પ્રમુખશ્રી ડૉ. બાબુભાઈ અઘારા અને  શાળાના સંચાલકશ્રીઓ, વ્યવસ્થાપકશ્રી તેમજ સ્ટાગણ ઉપસ્થિત રહેશે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચી કેળવાય તે હેતુથી કેન્દ્ર સરકારે નક્કી કરેલા માપદંડોમાં ખરી ઉતરીને શાળાને આ લેબ ફાળવવામાં આવી છે. આ લેબ અંતર્ગત ભૌતિક વિજ્ઞાન તથા એન્જિનિયરિંગના અભ્યાસમાં ઉપયોગી પ્રયોગ માટેની વિપુલ સાધન સામગ્રીથી સજ્જ લેબ આ શાળામાં તૈયાર થઈ ગઈ છે જેનો વિદ્યાર્થીઓને લાભ મળશે.

રાજ્યમંત્રી કિરીટસિંહ રાણા રવિવારે મોરબીમાં

વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી રાજ્યમંત્રી કિરીટસિંહ રાણા મોરબી જિલ્લાના પ્રવાસે આવનાર છે. તેઓ ૩૧ જુલાઈના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાજપૂત સમાજ ભવન, પંચાસર ખાતે મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨:૩૦ કલાકે પંચમુખી હનુમાનજી મંદિર, વેજીટેબલ રોડ, મોરબી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

મંત્રી બ્રિજેશભાઇ મેરજા મોરબી જિલ્લાના પ્રવાસે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા ૩૧મી જુલાઇના બે દિવસના મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. મંત્રી બ્રિજેશભાઇ મેરજા ૩૧મી જુલાઈ-૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે મોરબી શીશુમંદિર ખાતે સ્થાનિક કાર્યક્રમમાં તેમજ સવારે ૧૦:૩૦ કલાકે વાંકાનેર ખાતે મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૦૪:૦૦ કલાકે શ્રી ઉમીયા ક્લાસ ફોરમ દ્વારા આયોજીત વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. આગામી તા.૧/૮ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મોરબી ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા રખાયેલ રાખી મેળોનું લોકાર્પણ કાર્યક્રમ તથા સવારે ૧૦:૩૦ કલાકે મોરબી જિલ્લા પંચાયત દ્વારા ટ્રેકટર, ટ્રોલી અને જેટીંગ મશીન વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨:૦૦ કલાકે જુના ઘાંટીલા ખાતે સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપશે.






Latest News