માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્ય કાંતીભાઇ અમૃતીયાને આગામી ચુંટણીમાં મેદાનમાં આવવા બ્રહ્મસમાજના આગેવાનોનું આહ્વાન 


SHARE













મોરબીના માજી ધારાસભ્ય કાંતીભાઇ અમૃતીયાને આગામી ચુંટણીમાં મેદાનમાં આવવા બ્રહ્મસમાજના આગેવાનોનું આહ્વાન 

મોરબી પરશુરામ ધામ ખાતે  સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમેતે ૨૧ કુંડી હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે મોરબી માળિયાના માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમના પરિવાર સાથે ત્યાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ હોમાત્મક લઘુરુદ્રના આચાર્ય પદે બાલકૃષ્ણભાઈ ભટ્ટ (ધોલેરા વાળા) બિરાજમાન થયેલ હતા અને આ કાર્યક્રમને સફળ બનાવા માટે  સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ નિલાબેન પંડિત, મહામંત્રી શીતલબેન દવે, ચેતનાબેન, જયશ્રીબેન, હિનાબેન, ભાવનાબેન, પ્રવિણાબેન, નિશાબેન, જિલ્લા મહિલા બ્રહ્મસમાજના પ્રમુખ કિરણબેન ઠાકર, પરશુરામ ધામ ટ્રસ્ટ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, ટ્રસ્ટી અનિલભાઈ મેહતા, જિલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ તેમજ બ્રહ્મસમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લઘુરુદ્રનું બીડું સાંજે ૫ કલાકે હોમવામાં આવ્યું હતું.ત્યાર બાદ મહાપ્રસાદ પણ રાખવામા આવ્યો હતો. અત્રે ઉલેખનીય છે કે, આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા માજી ધારાસભ્ય કાંતિભાઈને મેદાનમાં આવવા માટે આહ્વાન કર્યું હતું

લિયો ક્લબ ઓફ મોરબી સિટી સ્પાર્ક
 
લિયો ક્લબ ઓફ મોરબી સિટી સ્પાર્ક દ્વારા પુષ્ય નક્ષત્ર દરમ્યાન વિનામૂલ્યે સુવર્ણપ્રાશનનાં ટીપાં પીવડાવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમા આશરે ૬૫૦ જેટલા બાળકોને તેમજ ૧૫ જેટલી ગર્ભવતી મહિલાઓને ટીપા પીવડાવવામાં આવ્યા હતા.કેમ્પ ચંદ્રેશનગરમા ઓમ ક્લિનિકલ ખાતે તથા ઉમા ક્લિનિક ખાતે યોજવામાં આવ્યો હતો.જેના ઉદ્ઘાટનમાં દ્વિતીય વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ જગદીશભાઈ કાવર, ખજાનચી ટી.સી.ફૂલતરીયા, મહાદેવભાઈ ચિખલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.લિયો ક્લબ ઑફ મોરબી સિટી સ્પાર્કના પ્રેસિડેન્ટ ક્રિષ્ના રૂપાલા, સેક્રેટરી ડો.ખ્યાતિ ભીમાણી, વાઈસ પ્રેસિડન્ટ ભાવિશા સરડવા તથા બંસી રૂપાલા તેમજ પ્રોજેકટ ચેરમેન ઉમંગ ભીમાણી તથા લિયો ક્લબ ઓફ મોરબી સિટીના તમામ સભ્યોએ ઉપસ્થિત રહીને સેવા આપી હતી.





Latest News