મોરબીના માજી ધારાસભ્ય કાંતીભાઇ અમૃતીયાને આગામી ચુંટણીમાં મેદાનમાં આવવા બ્રહ્મસમાજના આગેવાનોનું આહ્વાન
SHARE
મોરબીના માજી ધારાસભ્ય કાંતીભાઇ અમૃતીયાને આગામી ચુંટણીમાં મેદાનમાં આવવા બ્રહ્મસમાજના આગેવાનોનું આહ્વાન
મોરબી પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમેતે ૨૧ કુંડી હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે મોરબી માળિયાના માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમના પરિવાર સાથે ત્યાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ હોમાત્મક લઘુરુદ્રના આચાર્ય પદે બાલકૃષ્ણભાઈ ભટ્ટ (ધોલેરા વાળા) બિરાજમાન થયેલ હતા અને આ કાર્યક્રમને સફળ બનાવા માટે સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ નિલાબેન પંડિત, મહામંત્રી શીતલબેન દવે, ચેતનાબેન, જયશ્રીબેન, હિનાબેન, ભાવનાબેન, પ્રવિણાબેન, નિશાબેન, જિલ્લા મહિલા બ્રહ્મસમાજના પ્રમુખ કિરણબેન ઠાકર, પરશુરામ ધામ ટ્રસ્ટ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, ટ્રસ્ટી અનિલભાઈ મેહતા, જિલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ તેમજ બ્રહ્મસમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લઘુરુદ્રનું બીડું સાંજે ૫ કલાકે હોમવામાં આવ્યું હતું.ત્યાર બાદ મહાપ્રસાદ પણ રાખવામા આવ્યો હતો. અત્રે ઉલેખનીય છે કે, આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા માજી ધારાસભ્ય કાંતિભાઈને મેદાનમાં આવવા માટે આહ્વાન કર્યું હતું