મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે યોજાનાર બે દિવાસીય મેળાનું મંત્રી રાઘવજીભાઇ-બ્રિજેશભાઇના હસ્તે કરાશે ઉદ્ઘાટન


SHARE













વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે યોજાનાર બે દિવાસીય મેળાનું મંત્રી રાઘવજીભાઇ-બ્રિજેશભાઇના હસ્તે કરાશે ઉદ્ઘાટન

શ્રવણ મહિનામાં શિવા ભક્તો દ્વારા શિવાજીનું દુધાભીષેક, બીલીપત્ર, પુષ્પ, અબીલ ગુલાલથી પૂજન આર્ચન કરવામાં આવતું હોય છે જો કે, શ્રાવણ મહિનામાં જુદાજુદા શહેરોમાં લોકમેળા યોજવામાં આવે છે પરંતુ સૌ પ્રથમ મેળો મોરબી જીલ્લામાં આવેલ રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ છે આવી જ રીતે આગામી સોમવારે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને મંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા કરવામાં આવશે અને બે દિવસીય મેળાની લોકો મજા માણશે ઉપરાંત શિવાજીનું પૂજન અર્ચન પણ કરશે

શ્રાવણ મહિનાને શિવજીનો મહિનો કહેવામાં આવે છે અને શિવભક્તો આ મહિનામાં શિવ માય બની જાય છે જો કે, શ્રાવણ મહિનામાં જુદાજુદા શહેરોમાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોચે પરંતુ ભારતમાં સૌ પ્રથમ લોકમેળો મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં સજનપર ગામથી આશરે 3 કિમિ દૂર આવેલા જડેશ્વર મહાદેવ કે જે રત્ન ટેકરી ઉપર સ્વયંભૂ પ્રગટ થયા છે. તેના સાનિધ્યમાં યોજાઈ છે આ મેળાનું આગામી સોમવારે આયોજન કરવામાં આવ્યું છે જેનું મંત્રીઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારે મંત્રી કીર્તિસિંહ વાઘેલા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, માજી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય મહમદ જવીડ પીરજાદા, પરસોતમભાઇ સાબરીયા, લલિતભાઈ કગથરા અને લાખાભાઇ સગઠિયા, માજી ગૃહમંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદી, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા સહિતના આગેવાનો હાજર રહેશે તેવું મહંત રતિલાલજી રવિશંકર ત્રિવેદી અને અને લઘુમહંત જીતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે અને વાંકાનેર, મોરબી તથા ટંકારા તાલુકાના ત્રીભેટ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે શિવજીની પૂજા કરવા માટે શ્રવ મહિનામાં લોકો ઉમટી પડે છે જો કે, બે દિવસીય મેળાનો લાભ લેવાનું કોઈ ભક્તો ચુકતા નથી તે હક્કિત છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પુરતો બંદોબસ્ત પણ રાખવામાં આવે છે








Latest News