મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે તપોવન વિદ્યા સંકુલ દ્વારા હર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરવા અનોખી પહેલ


SHARE











મોરબીના જેતપર ગામે તપોવન વિદ્યા સંકુલ દ્વારા હર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરવા અનોખી પહેલ

દેશની આઝાદીને ૭૫ વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની જાહેરાત કરેલ છે જે અભિયાન અંતર્ગત જેતપરની  તપોવન વિદ્યાસંકુલનાં ધો- ૧ થી ૫ ના ભૂલકાઓ દ્વારા હર ઘર તિરંગા અભિયાનમાં લોકોને જોડાવવા, દરેક લોકો સુધી રાષ્ટ્રભાવનાનો સંદેશ પહોંચાડવા તથા રાષ્ટ્ર પ્રેમને ઉજાગર કરવા તેમજ દરેક લોકોમાં દેશપ્રેમ જગાડવા માટેની કામગીરી કરી હતી અને ભારતની આઝાદી દરમિયાન બનેલ દરેક ઐતિહાસિક ઘટનાઓ અને આઝાદીમાં અમૂલ્ય ફાળો આપનાર મહાન લડવૈયાઓનો પરિચય પણ કરાવવામાં આવ્યો હતો. જેથી ભારતનું યુવાધન આપણા દેશના અમૂલ્ય વારસાથી પરિચિત થાય તેમજ આઝાદીનું મૂલ્ય સમજી શકે અને આઝાદીનું જતન કરવાનો ગુણ કેળવાય. અને તપોવન વિદ્યાસંકુલના દરેક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરીને રાષ્ટ્રભક્તિનું આ ઉદાહરણ રજુ કર્યું હતું.






Latest News