મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર નગરપાલિકા સુપર સીડ થતાં માર્કેટ ચોકમાં ભાજપે કરી આતિશબાજી !


SHARE







વાંકાનેર નગરપાલિકા સુપર સીડ થતાં માર્કેટ ચોકમાં ભાજપે કરી આતિશબાજી !

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાને સરકાર દ્વારા સુપર સીડ કરવામાં આવી છે જેથી કરીને અપક્ષ પાલિકાને સુપર સિડ કરવામાં આવતા આજે ભાજપના હોદેદારો દ્વારા વાંકાનેરના માર્કેટ ચોકમાં આતિશબાજી કરવામાં આવી હતી અને સરકારના નિર્ણયને આવકારયો હતો

મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેર નગરપાલિકામાં છેલ્લે યોજાયેલ સામાન્ય ચૂંટણી બાદ ત્યાં પ્રમુખ ઉપપ્રમુખ પ્રમુખ સહિતના પદાધિકારીઓની જે વરણી કરવામાં આવી ત્યારથી જ આ નગરપાલિકા વિવાદનું ઘર બની ગઇ હોય તેમ વારંવાર કોઈને કોઈ કારણોસર વાંકાનેર નગરપાલિકા ચર્ચાનો વિષય બનતી હતી દરમિયાન થોડા દિવસો પહેલા સરકારના શહેરી વિકાસ વિભાગ તરફથી વાંકાનેર પાલિકાના પ્રમુખઉપપ્રમુખ સહિતના સભ્યોને નાણાકીય બાબતોને લઈને કારણે દર્શક નોટિસો આપવામાં આવી હતી અને આ પાલિકાને ગમે ત્યારે સરકાર સુપર સીડ કરશે તેવા એંધાણો દેખાઈ રહ્યા હતા તેવામાં સરકારે શનિવારે મોડી સાંજે વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ કરવા માટેનો આદેશ કર્યો હતો હતો જેથી કરીને પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ તાત્કાલિક અસરથી વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ સહિતના પદાધિકારીઓની ચેમ્બરને સીલ કરી હતી અને રેકોર્ડ બુક તથા ઠરાવ બુક સહિતનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આજે ભાજપના રાજભા ઝાલા સહિતના આગેવાનો દ્વારા વાંકાનેરના માર્કેટ ચોકમાં આતિશબાજી કરીને સરકારના આ નિર્ણયને એકમેકના મોઢા મીઠા કરવાનીને આવકારવામાં આવ્યો હતો અને પાલિકામાં અપક્ષની બોડીનું કુશાસન  સરકારના ધ્યાન ઉપર આવતા  સરકારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કર્યો છે તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News