મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

વાંકાનેર નગરપાલિકા સુપર સીડ થતાં માર્કેટ ચોકમાં ભાજપે કરી આતિશબાજી !


SHARE















વાંકાનેર નગરપાલિકા સુપર સીડ થતાં માર્કેટ ચોકમાં ભાજપે કરી આતિશબાજી !

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાને સરકાર દ્વારા સુપર સીડ કરવામાં આવી છે જેથી કરીને અપક્ષ પાલિકાને સુપર સિડ કરવામાં આવતા આજે ભાજપના હોદેદારો દ્વારા વાંકાનેરના માર્કેટ ચોકમાં આતિશબાજી કરવામાં આવી હતી અને સરકારના નિર્ણયને આવકારયો હતો

મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેર નગરપાલિકામાં છેલ્લે યોજાયેલ સામાન્ય ચૂંટણી બાદ ત્યાં પ્રમુખ ઉપપ્રમુખ પ્રમુખ સહિતના પદાધિકારીઓની જે વરણી કરવામાં આવી ત્યારથી જ આ નગરપાલિકા વિવાદનું ઘર બની ગઇ હોય તેમ વારંવાર કોઈને કોઈ કારણોસર વાંકાનેર નગરપાલિકા ચર્ચાનો વિષય બનતી હતી દરમિયાન થોડા દિવસો પહેલા સરકારના શહેરી વિકાસ વિભાગ તરફથી વાંકાનેર પાલિકાના પ્રમુખઉપપ્રમુખ સહિતના સભ્યોને નાણાકીય બાબતોને લઈને કારણે દર્શક નોટિસો આપવામાં આવી હતી અને આ પાલિકાને ગમે ત્યારે સરકાર સુપર સીડ કરશે તેવા એંધાણો દેખાઈ રહ્યા હતા તેવામાં સરકારે શનિવારે મોડી સાંજે વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ કરવા માટેનો આદેશ કર્યો હતો હતો જેથી કરીને પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ તાત્કાલિક અસરથી વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ સહિતના પદાધિકારીઓની ચેમ્બરને સીલ કરી હતી અને રેકોર્ડ બુક તથા ઠરાવ બુક સહિતનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આજે ભાજપના રાજભા ઝાલા સહિતના આગેવાનો દ્વારા વાંકાનેરના માર્કેટ ચોકમાં આતિશબાજી કરીને સરકારના આ નિર્ણયને એકમેકના મોઢા મીઠા કરવાનીને આવકારવામાં આવ્યો હતો અને પાલિકામાં અપક્ષની બોડીનું કુશાસન  સરકારના ધ્યાન ઉપર આવતા  સરકારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કર્યો છે તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News