મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે પ્રેકટીકલ જ્ઞાન પણ મેળવ્યું
મોરબીના કોંગ્રેસનાં આગેવાને તલાટી મંત્રીઓની હડતાલનું નિવારણ લાવવા કરી સીએમને રજૂઆત
SHARE
મોરબીના કોંગ્રેસનાં આગેવાને તલાટી મંત્રીઓની હડતાલનું નિવારણ લાવવા કરી સીએમને રજૂઆત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના માજી ઉપપ્રમુખ દ્વારા મોરબી જિલ્લા સહિત ગુજરાતનાં તલાટીઓ હડતાળ ઉપર છે તેની વાજબી માંગણીઓને સંતોષીને હડતાળનું નિવારણ લાવવા માટે સીએમને રજૂઆત કરવામાં આવી છે
રાજ્યમાં દસ દિવસથી તલાટી કમ મંત્રીઓની સામુહિક હડતાલ ઉપર છે જેથી કરીને ગામડાના લોકો હાલમાં હેરાન થઈ રહ્યા છે અને લોકોનાં રોજિંદા કામો ખોરવાઈ ગયા છે જેમાં આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ સહિતની કામગીરી થતી નથી જેથી તલાટીઓના વાજબી પ્રશ્નોને તાત્કાલિક ઉકેલવામાં આવે અને ગામડાના લોકો હાલમાં હેરાના છે તેની હેરાનગતિને દૂર કરવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના માજી ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે