મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા સીરામીક ઉદ્યોગપતિ સાથે 1.24 કરોડ રૂપિયાની ઠગાઈ: 10 પેઢીઓ સામે નોંધાઈ ફરિયાદ


SHARE















મોરબીમાં રહેતા સીરામીક ઉદ્યોગપતિ સાથે 1.24 કરોડ રૂપિયાની ઠગાઈ: 10 પેઢીઓ સામે નોંધાઈ ફરિયાદ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ માણેક સોસાયટીમાં રહેતા અને વાંકાનેર તાલુકાની હદમાં ઢુવા અને માટેલ રોડ ઉપર જુદા જુદા બે કારખાના ધરાવતા સીરામીક ઉદ્યોગકાર સાથે ઠગાઈ કરવામાં આવી છે જેથી કરીને હાલમાં તેઓના બંને કારખાનામાંથી માલની ખરીદી કરીને રૂપિયા ન ચૂકવનારી 10 જેટલા વેપારી પેઢીના સંચાલકો સામે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 1.24 કરોડ રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે ઉદ્યોગકાર દ્વારા નોંધવામાં આવેલ છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીની આસપાસમાં આવેલ સીરામીક કારખાનાઓમાંથી માલની ખરીદી કરવામાં આવ્યા બાદ વેપારીઓ અથવા તો વેપારી પેઢીઓ દ્વારા સીરામીક ઉદ્યોગકારો સાથે યેનકેન પ્રકારે છેતરપિંડી કરવામાં આવે તેવું અગાઉ અનેક વખત બની ગયું છે તેમ છતાં પણ આજની તારીખે મોરબીના સિરામિક ઉદ્યોગમાં ક્રેડિટ ઉપર માલનું વેચાણ થતું હોય છે જેથી કરીને ઘણા બોગસ વેપારીઓ તેનો ગેરલાભ ઉઠાવીને મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ઠગાઈ કરતા હોય છે આવો જ એક બનાવો હાલમાં સામે આવ્યો છે અને મોરબી જિલ્લામાં બે સીરામીકના કારખાના ધરાવતા સીરામીક ઉદ્યોગકાર સાથે 1.24 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા સિરામિક ઉદ્યોગપતિ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ માણેક સોસાયટીમાં રહેતા ધીરજલાલ નારણભાઈ કાસુન્દ્રાએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ઢુવા પાસે અને માટેલ રોડ ઉપર તેમના બે સિરામિક કારખાને આવેલ છે જેમાં ન્યુ પર્લ વિન્ટ્રિફાઇડ તેમજ રેકસોના વિટ્રીફાઇડ નો સમાવેશ થાય છે અને આ બંને કારખાનામાંથી સમયાંતરે તેઓની સાથે સંકળાયેલા જુદી જુદી વેપારી પેઢીના સંચાલકો દ્વારા માલની ખરીદી કરવામાં આવી હતી અને ત્યારબાદ તે માલની ચૂકવવાની થતી રકમ ચૂકવવામાં આવેલ નથી જેથી કરીને તેઓની સાથે 1.24 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે જેથી હાલમાં ભોગ બનેલા આ ઉદ્યોગકારે વેપારી પેઢીના સંચાલકોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે

જે વેપારી પેઢીઓની સામે ફરિયાદ નોંધાય છે તેમાં શ્રી મંજુનાથા ટાઇલ્સ માર્ટ પ્રો. સદાશીવ ગ્રાઉન્ડ ફ્લોર એંસી ફુટ રોડ બેંગ્લોર કર્ણાટક, અજય સીરામીક પ્રો. કર્ણાટક, ન્યુ પેરલ સીરામીક પ્રો. બેંગ્લોર, પ્રીમીયમ ટાઇલ્સ એન્ડ સીરામીક પ્રો. બેંગ્લોર, સ્પ્લેન્ડીડ માર્કેટીંગ પ્રો વંદના રેડી બંડલા ફસ્ટ ફ્લોર સાઇટ નંબર એકસો 38/6 ન્યુ નંબર 5100/6 ખાતાનો એકસો બાણુ ભટારા હલ્લીવીલેજ કે. આર. પુરાબેંગ્લ, વી.એમ, ટ્રેડર્સ પાર્ટનર કેરલ, ટીલીચેરી ટ્રેડીંગ કોર્પોરેશન કેરલ, મોજેકો ટાઇલ્સ પ્રો . કેરલ, અરવિંદ ટાઇલ્સ પ્રો . ચેન્નાઇ તમીલનાડુ અને બાથ ક્રીયેશન પ્રો. છતીસગઢ વાળાનો સમાવેશ થાય છે જેથી કરીને તેની સામે આઇપીસી કલમ 420, 406 અને 114 મુજબ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News