મોરબીના રામધન આશ્રમે યોજાયેલી રામધૂનમાં લંપીમાં મૃત્યુ પામેલ પશુઓને શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબી જલારામ પ્રાર્થના મંદિરે પ્રસાદ યોજીને જીલ્લા કોંગ્રેસ પ્રમુખે જન્મદિન ઉજવ્યો
SHARE
મોરબી જલારામ પ્રાર્થના મંદિરે પ્રસાદ યોજીને જીલ્લા કોંગ્રેસ પ્રમુખે જન્મદિન ઉજવ્યો
મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા કરતા જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામા આવી રહ્યો છે.ત્યારે તેમા મોરબીના જાણીતા ઉદ્યોગપતિ, પાટીદાર સમાજ અગ્રણી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ એવા જયંતિભાઈ જેરાજભાઈ પટેલે તેમના જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને કરી હતી. પ્રવર્તમાન સમયમાં લોકો પોતાના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના અગ્રણી જયંતિભાઈ જેરાજભાઈ પટેલે આ સેવાકાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરીને સમાજને નવી રાહ ચિંધી હતી.તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.તેમ શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.