માળીયા (મી) તાલુકામાં દેવ સોલ્ટ દ્વારા સ્વતંત્ર પર્વની પ્રેરણાદાપી ઉજવણી
મોરબીના રામધન આશ્રમે યોજાયેલી રામધૂનમાં લંપીમાં મૃત્યુ પામેલ પશુઓને શ્રદ્ધાંજલિ અપાઈ
SHARE
મોરબીના રામધન આશ્રમે યોજાયેલી રામધૂનમાં લંપીમાં મૃત્યુ પામેલ પશુઓને શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે જય માતાજી સેવા સમિતિ અને રામધન આશ્રમ દ્વારા શ્રાવણ માસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ૯ દિવસની રામધૂન રાખવામાં આવી હતી અને રામધન ખાતે યોજાયેલી રામધૂનમાં મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં લંપી વાયરસના લીધે મૃત્યુ પામેલ પશુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ જય માતાજી ગુરુદયા સેવા સમિતિ દ્વારા રતનેશ્વરીબેનની પ્રેરણાથી તહેવારોના અનુસંધાને જરૂરિયાતમંદોને કપડાં, મીઠાઈ-ફરસાણ અને પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજુભાઇ, પૂજબેન, ત્રિભોવનભાઈ, ભુદરભાઈ, દેવકરણભાઈ, કરશનભાઈ, દિલીપભાઈ, દુલર્ભજીભાઈ, મનજીભાઈ, કેશુભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી તેવું મુકેશ ભગતે જણાવ્યું છે.









