ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મયુર ડેરીમાં દૂધની આવક ઘટીને એક લાખ લિટરની અંદર આવી ગઈ !


SHARE













મોરબી જિલ્લા મયુર ડેરીમાં દૂધની આવક ઘટીને એક લાખ લિટરની અંદર આવી ગઈ !

મોરબી સહિત ગુજરાતમાં લંપી વાયરસના કેસ વધી રહ્યા છે અને છેલ્લા ત્રણ માહિનામાં ઘણા પશુઘનના મોત પણ થયા છે ત્યારે મોરબી જીલ્લામાં આવેલા મયુર ડેરીમાં જિલ્લામાંથી આવતા દૂધમાં દિનપ્રતિ દિન ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ધીમે ધીમે કરતાં આજની તારીખે માલધારીઓ દ્વારા ત્રણ મહિના ફેલા જે દૂધ ભરવામાં આવતૃ હતું તેમાં તોતિંગ ઘટાડો થઈ ગયો છે

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લંપીએ હાહાકાર મચાવ્યો છે અને છેલ્લા ત્રણ માહિનામાં મોરબી જિલ્લામાં લંપી વાયરસના લીધે ઘણા ગૌવંશના મોત થયા છે તેવું જિલ્લાના પશુપાલન અધિકારીએ જણાવ્યુ છે અને હજુ પણ આ રોગથી અબોલ જીવને બચાવવા માટે રસીકરણ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને જે અબોલ જીવના મોત થયા છે તેમાંથી ઘણા દૂધાળા પશુ હતા જેથી કરીને દૂધની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે મોરબી જિલ્લા દૂધ સંઘ એટ્લે કે, મયુર ડેરીમાં જિલ્લામાંથી માલધારીઓ સહિતના લોકો દૂધ આપવા માટે આવે છે જો કે, લંપી વાયરસના લીધે દૂધાળા ગૌવંશમાં દૂધની આવક ઘટી ગયેલ છે અને મયુર ડેરીમાં દરરોજ ૧.૬૦ લાખ લિટર દૂધ લંપી વાયરસ પહેલા આવતું હતું જો કે, આજની તારીખે તે એક લાખ લિટરની અંદર આવી ગયું છે અને હજુ પણ દૂધની આવકમાં ઘટાડો થઇ રહ્યો છે અને આગમી દિવસોમાં દૂધની હાલમાં જેટલી ઘટ છે તે પૂરી કરવા માટે અંદાજે  છ મહિનાથી અકે વર્ષ જેટલો સમય લાગશે તેવું સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવિયાએ જણાવ્યુ છે






Latest News