મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

હળવદ માર્કેટ યાર્ડના બે વેપારીઓને ચેક રિટર્નના કેસમાં કોર્ટે ફટકારી સજા


SHARE









હળવદ માર્કેટ યાર્ડના બે વેપારીઓને ચેક રિટર્નના કેસમાં કોર્ટે ફટકારી સજા

હળવદ માર્કેટ યાર્ડના જુદાજુદા બે વેપારી દ્વારા રોકડા હાથ ઉછીના રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેની સામે ચેક આપવામાં આવ્યા હતા જે ચેક રિટર્ન થયા હોવાથી હળવદની કોર્ટમાં કેસ ચાલી ગયા હતા જે બંનેમાં ફરીયાદીને રકમ ચૂકવી આપવાનો આદેશ કરીને આરોપીને સજા ફટકારવામાં આવી છે

હળવદ માર્કેટ યાર્ડમાં પ્રજાપતિ ટ્રેડીંગ કંપની ધારાવતા મનસુખભાઈ ઓધડભાઈ પ્રજાપતિને હાથ ઉછીની રૂપિયા પરત આપવા માટે અંબિકા કોટનના પ્રોપરાઈટર જયેશ ધરમશીભાઈ રહે. મોવૈયા વાળાએ એકસીસ બેંકની પડધરી શાખાનો ૨,૨૭,૪૧૨ નો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતા મનસુખભાઈ ઓધડભાઈએ લીગલ નોટીસ આપી હતી અને હળવદની કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટે અંબિકા કોટનના પ્રોપરાઈટર જયેશ ધરમશીભાઈને ત્રણ માસની સાદી કેદની સજા અને ૨,૨૮,૦૦૦ રૂપિયા આપવા માટે આદેશ કર્યો છે આ કેસમાં ફરીયાદીના વકીલ રઘુવીરસિંહ જે. ઝાલા હતા.

હળવદના નવા ઈશનપુર ગામના વિઠલભાઈ લવજીભાઈ દલવાડીએ ૩.૪૧ લાખ ચામુંડા એન્ટર પ્રાઈઝના પ્રોપરાઈટર વાલજીભાઈ ઠાકરશીભાઈ ચાવડાને હાથ ઉછીના આપ્યા હતા જેથી વાલજીભાઈ ઠાકરશીભાઈ ચાવડાએ આદર્શ બેંક હળવદનો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતાં વિઠલભાઈ દલવાડીએ નોટીસ આપી હતી અને હળવદની કોરટમાં કેસ ચાલી જતાં કોર્ટે ચામુંડા એન્ટર પ્રાઈઝ વાળા વાલજીભાઈ ઠાકરશીભાઈ ચાવડાને છ માસની સાદી કેદની સજા તેમજ ૩.૪૧ લાખ રૂપિયા ફરીયાદીને આપવા માટેનો તેમજ ૫૦૦૦ રૂપિયા સરકારમાં જમાં કરાવવા માટે આદેશ કરેલ છે આ કેસમાં પણ ફરીયાદીના વકીલ રઘુવીરસિંહ જે. ઝાલા હતા.






Latest News