ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

હળવદ માર્કેટ યાર્ડના બે વેપારીઓને ચેક રિટર્નના કેસમાં કોર્ટે ફટકારી સજા


SHARE













હળવદ માર્કેટ યાર્ડના બે વેપારીઓને ચેક રિટર્નના કેસમાં કોર્ટે ફટકારી સજા

હળવદ માર્કેટ યાર્ડના જુદાજુદા બે વેપારી દ્વારા રોકડા હાથ ઉછીના રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેની સામે ચેક આપવામાં આવ્યા હતા જે ચેક રિટર્ન થયા હોવાથી હળવદની કોર્ટમાં કેસ ચાલી ગયા હતા જે બંનેમાં ફરીયાદીને રકમ ચૂકવી આપવાનો આદેશ કરીને આરોપીને સજા ફટકારવામાં આવી છે

હળવદ માર્કેટ યાર્ડમાં પ્રજાપતિ ટ્રેડીંગ કંપની ધારાવતા મનસુખભાઈ ઓધડભાઈ પ્રજાપતિને હાથ ઉછીની રૂપિયા પરત આપવા માટે અંબિકા કોટનના પ્રોપરાઈટર જયેશ ધરમશીભાઈ રહે. મોવૈયા વાળાએ એકસીસ બેંકની પડધરી શાખાનો ૨,૨૭,૪૧૨ નો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતા મનસુખભાઈ ઓધડભાઈએ લીગલ નોટીસ આપી હતી અને હળવદની કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટે અંબિકા કોટનના પ્રોપરાઈટર જયેશ ધરમશીભાઈને ત્રણ માસની સાદી કેદની સજા અને ૨,૨૮,૦૦૦ રૂપિયા આપવા માટે આદેશ કર્યો છે આ કેસમાં ફરીયાદીના વકીલ રઘુવીરસિંહ જે. ઝાલા હતા.

હળવદના નવા ઈશનપુર ગામના વિઠલભાઈ લવજીભાઈ દલવાડીએ ૩.૪૧ લાખ ચામુંડા એન્ટર પ્રાઈઝના પ્રોપરાઈટર વાલજીભાઈ ઠાકરશીભાઈ ચાવડાને હાથ ઉછીના આપ્યા હતા જેથી વાલજીભાઈ ઠાકરશીભાઈ ચાવડાએ આદર્શ બેંક હળવદનો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતાં વિઠલભાઈ દલવાડીએ નોટીસ આપી હતી અને હળવદની કોરટમાં કેસ ચાલી જતાં કોર્ટે ચામુંડા એન્ટર પ્રાઈઝ વાળા વાલજીભાઈ ઠાકરશીભાઈ ચાવડાને છ માસની સાદી કેદની સજા તેમજ ૩.૪૧ લાખ રૂપિયા ફરીયાદીને આપવા માટેનો તેમજ ૫૦૦૦ રૂપિયા સરકારમાં જમાં કરાવવા માટે આદેશ કરેલ છે આ કેસમાં પણ ફરીયાદીના વકીલ રઘુવીરસિંહ જે. ઝાલા હતા.






Latest News