રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીની રવાપર ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવત રાખીને મહિલા સભ્યના પતિ સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ તલવાર, પાઇપ અને ધોકા વડે માર માર્યો


SHARE









મોરબી નજીકના રવાપર ગામે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં મહિલા સદસ્ય તરીકે ચૂંટાઈ આવેલ મહિલાના પતિને ચૂંટણીની અદાવતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા તલવાર, ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો છે અને આ મારામારીના બનાવમાં બે વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ રવાપર ગ્રામ પંચાયતના મહિલા સદસ્યાના પતિ દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૩ શખ્સની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામે રહેતા ભીખાભાઈ આપાભાઇ જારીયા જાતે આહિર (ઉંમર ૪૫) એ હાલમાં અજયભાઈ પ્રભાતભાઈ ચાવડા, પ્રદીપભાઈ ચાવડા અને સતિષભાઈ રમેશભાઈ ચાવડા રહે તમામ રવાપર ગામ વાળાની સામે મારામારીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના પત્ની ભારતીબેન રવાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે લડ્યા હતા અને તે ચૂંટાઈ આવેલ છે જે બાબતની જૂની અદાવત રાખીને અજય પ્રભાતભાઈ ચાવડાએ તલવાર વડે હુમલો કર્યો હતો અને તેને ડાબા હાથે તેમજ સાહેદને જમણા કાનના ભાગે ઇજા કરી હતી તો પ્રદીપભાઈએ પાઇપ વડે અને સતિષભાઈએ ધોકા વડે માર્યો હતો આમ ત્રણેય શખ્સોએ ભેગા મળીને ફરિયાદી ભીખાભાઈ જારીયા તથા સાહેદને માર મારીને ગાળો આપી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત ભીખાભાઈ જારીયા સહિત બંને વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભીખાભાઈ આપાભાઈ જારીયાએ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News