મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે
Breaking news
Morbi Today

મોરબીની રવાપર ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવત રાખીને મહિલા સભ્યના પતિ સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ તલવાર, પાઇપ અને ધોકા વડે માર માર્યો


SHARE













મોરબી નજીકના રવાપર ગામે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં મહિલા સદસ્ય તરીકે ચૂંટાઈ આવેલ મહિલાના પતિને ચૂંટણીની અદાવતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા તલવાર, ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો છે અને આ મારામારીના બનાવમાં બે વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ રવાપર ગ્રામ પંચાયતના મહિલા સદસ્યાના પતિ દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૩ શખ્સની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામે રહેતા ભીખાભાઈ આપાભાઇ જારીયા જાતે આહિર (ઉંમર ૪૫) એ હાલમાં અજયભાઈ પ્રભાતભાઈ ચાવડા, પ્રદીપભાઈ ચાવડા અને સતિષભાઈ રમેશભાઈ ચાવડા રહે તમામ રવાપર ગામ વાળાની સામે મારામારીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના પત્ની ભારતીબેન રવાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે લડ્યા હતા અને તે ચૂંટાઈ આવેલ છે જે બાબતની જૂની અદાવત રાખીને અજય પ્રભાતભાઈ ચાવડાએ તલવાર વડે હુમલો કર્યો હતો અને તેને ડાબા હાથે તેમજ સાહેદને જમણા કાનના ભાગે ઇજા કરી હતી તો પ્રદીપભાઈએ પાઇપ વડે અને સતિષભાઈએ ધોકા વડે માર્યો હતો આમ ત્રણેય શખ્સોએ ભેગા મળીને ફરિયાદી ભીખાભાઈ જારીયા તથા સાહેદને માર મારીને ગાળો આપી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત ભીખાભાઈ જારીયા સહિત બંને વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભીખાભાઈ આપાભાઈ જારીયાએ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News