વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો ​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મંદિર ખાતે પિતૃતર્પણ માટે લોકો ઉમટ્યા, લોકોને મેળાની મોજ: શિવ મંદિરોમાં લોકોનો મેળો 


SHARE













મોરબીના રફાળેશ્વર મંદિર ખાતે પિતૃતર્પણ માટે લોકો ઉમટ્યા, લોકોને મેળાની મોજ: શિવ મંદિરોમાં લોકોનો મેળો 

મોરબી નજીકના રફાળેશ્વર મંદિર ખાતે સવારથી જ શિવભકતોની ભીડ જોવા મળી હતી અને રફાળેશ્વર મંદિર પાસે દર વર્ષેની જેમ જ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે તે રીતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી રફાળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવેલા લોકોએ પિતૃતર્પણ સાથે મેળાની મોજ પણ માણી હતી અત્રે ઉલેખનીય છે કે, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોવાથી મોરબી શહેર અને જીલ્લાના શિવ મંદિરોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોની ભીડ જોવા મળી રહી હતી અને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ભોલેનાથને ભાવથી ભજીને તમામ શિવ ભક્તો આગામી શ્રાવણ મહિનો વહેલા આવે અને ફરી શિવજીની સેવા, પૂજા અર્ચન કરવાનો તેમને મોકો મળે તેના માટેની ભગવાન શંકરને પ્રાર્થના કરી રહ્યા છે અને પારસ પીપળાને પાણી ચડાવીને પિતૃતર્પણ પણ કર્યું હતું આજે જડેશ્વર મહાદેવ મંદિર, અગ્નેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, બિલેશ્વર મહાદેવ મંદિર, શોભેશ્વર મહાદેવ મંદિર, કુબેરનાથ મહાદેવ મંદિર સહિતના મહાદેવના મંદિરોમાં શિવભકતો ઉમટી પડ્યા છે 






Latest News