હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ
Breaking news
Morbi Today

ટંકારાના હરીપર પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













ટંકારાના હરીપરપાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત

ટંકારા તાલુકાના હરીપર ગામ પાસે પુલિયા નજીક બાઇક લઈને પસાર થતાં યુવાનનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને ટંકારા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હજનાળી ગામે રહેતા ચિરાગભાઈ અનિલભાઈ ઓરીયા જાતે તરગાળા (૨૯) ગત તા. ૧૬/૮ ના સાંજના સાતેક વાગ્યાના સુમારે ટંકારાથી ગોંડલ તરફ મસીના ઘરે જન્માષ્ટમી ઉપર જતો હતો ત્યારે ટંકારાના હરીપર ગામ પાસે બાઈક નં જીજે ૩ એફએમ ૪૮૫૬ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ચિરાગભાઈ ઓરિયાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માતના બનાવવામાં મૃતક યુવાનના ભાઈ જીગરભાઈ અનિલભાઈ ઓરીયા (૨૬) રહે, હજનાળી વાળાની ફરિયાદ લઈને ટંકારા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા
 
મોરબીના સામાકાંઠે આવેલી માળિયા-વનાળીયા સોસાયટીમાં રહેતો સુનિલ મોહનભાઈ સોલંકી નામનો યુવાન નજરબાગ રેલ્વે સ્ટેશન પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેમનું બાઇક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વીસીપરામાં વિજયનગર વિસ્તારમાં રહેતા આશાબેન અમૃતભાઈ સોલંકી નામની ૪૦ વર્ષની મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
 
મહિલા સારવારમાં
 
મોરબીના આઇકોન સીરામીકના લેબર ક્વાર્ટર પાસે આવેલ બિલ્ડીંગમાંથી પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં લક્ષ્મીબેન અર્જુનભાઈ રાવળ નામની ૨૨ વર્ષની મહિલાને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ નજીકના પ્રેમજીનગરમાં રહેતા મનીષ કિશોરભાઈ પરમાર નામના ૨૭ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા તેને સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે.





Latest News