મોરબીના રવાપરમાં તલવાર, ધોકા, પાઇપ વડે બે વ્યક્તિને માર મારનારા ત્રણ પૈકીનાં બેની ધરપકડ
મોરબીથી 345 કિલોમીટરની અંબાજી સુધીની પદયાત્રાનો સંઘ રવાના
SHARE
મોરબીથી 345 કિલોમીટરની અંબાજી સુધીની પદયાત્રાનો સંઘ રવાના
મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનો સંઘ મોરબીથી રવાના થઇ ગયો છે અને 345 કિલોમીટરની પદયાત્રા કરીને શ્રી અંબિકા પદયાત્રા સંઘના સભ્યો અંબાના દરબારમાં પહોંચશે
દરવર્ષે મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે તેવી જ રીતે આ વેશે પણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાદરવી પુનમની આસપાસમાં આ સંઘ અંબાજી મંદિરે પહોચે તેનું આયોજન કરાયું છે અત્રે ઉલેખનીય છે કે, 1999 થી શ્રી અંબિકા પદયાત્રા સંઘ મોરબીથી અંબાજી આશરે 345 કિલોમીટરની પદયાત્રા યોજી અંબાજી પહોચે છે આ વર્ષે પદયાત્રામાં ઘણા શ્રદ્ધાળુઓ જોડાઇ છે ગઇકાલે મંગળવારને તા. 30 ના રોજ બપોરના 12:15 વાગ્યે પદયાત્રા સંઘ અંબાજી જવા માટે આલાપ રોડ ઉપર આવેલ સ્કાય ટાવર પાસેથી રવાના થયો હતો ત્યારે મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને અંબિકા પદયાત્રા સંઘના સંઘપતિ સુરેશભાઈ મોહનભાઈ નાગપરા અને કૈલાશભાઈ નાગપરા સહિતના મોરબીના લોકો બાવના ગજની ધજા સાથે મોરબીથી અંબાજી પહોંચશે









