ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના વિવાદાસ્પદ મેદાનમાં વાજતે ગાજતે ગણેશોત્સવ સમિતિએ કર્યું ગણેશજીનું સ્થાપન: જીતુભાઇ સોમાણીનું આંદોલન યથાવત


SHARE













વાંકાનેરના વિવાદાસ્પદ મેદાનમાં વાજતે ગાજતે ગણેશોત્સવ સમિતિએ કર્યું ગણેશજીનું સ્થાપન: જીતુભાઇ સોમાણીનું આંદોલન યથાવત

મોરબીમાં જિલ્લાના વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી દ્વારા ગણેશોત્સવના મેદાન માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે તો પણ તેઓની ગણેશોત્સવ સમિતિને ગણેશોત્સવ માટે તંત્ર દ્વારા આખુ મેદાન આપવામાં આવ્યુ નથી જેથી કરીને વાંકાનેરના વિવાદાસ્પદ મેદાનમાં વાજતે ગાજતે ગણેશોત્સવ સમિતિએ ગશેશજીનું સ્થાપન કરેલ છે તો પણ જીતુભાઇ સોમાણીનું આંદોલન હજુ યથાવત જ છે

વાંકાનેરમાં છેલ્લા ૧૨ વર્ષથી ગણેશોત્સવ ઉત્સવ સમિતિ દ્વારા જે જગ્યા ઉપર ગણેશોત્સવનું આયોજન કરવામાં આવતું હતું તે મેદાન ગણેશ ઉત્સવ સમિતિને આપવાના બદલે અન્ય પાર્ટીને અડધુ મેદાન ગઇકાલે વહીવટદાર દ્વારા આપવામાં આવ્યુ છે જેથી કરીને છેલ્લા ઘણા દિવસોથી જીતુભાઈ સોમાણી દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેને હજુ પણ યથાવત જ રાખવામાં આવેલ છે અને આજે વાજતે ગાજતે વાંકાનેરમાં વિવાદાસ્પદ બની ગયેલા આરએસએસના મેદાનમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને પૂજન અર્ચન શરૂ કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ મેદાન માટે જેને માંગણી કરી હતી અને ગઇકાલે તાબડતોબ અડધા મેદાનની સરકારી ફી પણ સરકારી તિજોરીમાં જમા કરાવી હતી તે પાર્ટી દ્વારા બપોર સુધી આ મેદાન ઉપર ગણેશ ઉત્સવ માટેનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી તેવું વાંકાનેરના લોકો પાસેથી જાણવા મળેલ છે તો કયા હેતુથી આ ગ્રાઉન્ડની બીજી પાર્ટીએ માંગણી ગણેશ ઉત્સવ દરમિયાન કરી હતી ? અને શા માટે થઈને વાંકાનેરમાં વિવાદ થાય તેવું કરવામાં આવ્યું હતુ ? તે તપાસનો વિષય છે






Latest News