મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના વિવાદાસ્પદ મેદાનમાં વાજતે ગાજતે ગણેશોત્સવ સમિતિએ કર્યું ગણેશજીનું સ્થાપન: જીતુભાઇ સોમાણીનું આંદોલન યથાવત


SHARE











વાંકાનેરના વિવાદાસ્પદ મેદાનમાં વાજતે ગાજતે ગણેશોત્સવ સમિતિએ કર્યું ગણેશજીનું સ્થાપન: જીતુભાઇ સોમાણીનું આંદોલન યથાવત

મોરબીમાં જિલ્લાના વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી દ્વારા ગણેશોત્સવના મેદાન માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે તો પણ તેઓની ગણેશોત્સવ સમિતિને ગણેશોત્સવ માટે તંત્ર દ્વારા આખુ મેદાન આપવામાં આવ્યુ નથી જેથી કરીને વાંકાનેરના વિવાદાસ્પદ મેદાનમાં વાજતે ગાજતે ગણેશોત્સવ સમિતિએ ગશેશજીનું સ્થાપન કરેલ છે તો પણ જીતુભાઇ સોમાણીનું આંદોલન હજુ યથાવત જ છે

વાંકાનેરમાં છેલ્લા ૧૨ વર્ષથી ગણેશોત્સવ ઉત્સવ સમિતિ દ્વારા જે જગ્યા ઉપર ગણેશોત્સવનું આયોજન કરવામાં આવતું હતું તે મેદાન ગણેશ ઉત્સવ સમિતિને આપવાના બદલે અન્ય પાર્ટીને અડધુ મેદાન ગઇકાલે વહીવટદાર દ્વારા આપવામાં આવ્યુ છે જેથી કરીને છેલ્લા ઘણા દિવસોથી જીતુભાઈ સોમાણી દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેને હજુ પણ યથાવત જ રાખવામાં આવેલ છે અને આજે વાજતે ગાજતે વાંકાનેરમાં વિવાદાસ્પદ બની ગયેલા આરએસએસના મેદાનમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને પૂજન અર્ચન શરૂ કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ મેદાન માટે જેને માંગણી કરી હતી અને ગઇકાલે તાબડતોબ અડધા મેદાનની સરકારી ફી પણ સરકારી તિજોરીમાં જમા કરાવી હતી તે પાર્ટી દ્વારા બપોર સુધી આ મેદાન ઉપર ગણેશ ઉત્સવ માટેનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી તેવું વાંકાનેરના લોકો પાસેથી જાણવા મળેલ છે તો કયા હેતુથી આ ગ્રાઉન્ડની બીજી પાર્ટીએ માંગણી ગણેશ ઉત્સવ દરમિયાન કરી હતી ? અને શા માટે થઈને વાંકાનેરમાં વિવાદ થાય તેવું કરવામાં આવ્યું હતુ ? તે તપાસનો વિષય છે






Latest News