વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વિવાદાસ્પદ મેદાનમાં વાજતે ગાજતે ગણેશોત્સવ સમિતિએ કર્યું ગણેશજીનું સ્થાપન: જીતુભાઇ સોમાણીનું આંદોલન યથાવત


SHARE











વાંકાનેરના વિવાદાસ્પદ મેદાનમાં વાજતે ગાજતે ગણેશોત્સવ સમિતિએ કર્યું ગણેશજીનું સ્થાપન: જીતુભાઇ સોમાણીનું આંદોલન યથાવત

મોરબીમાં જિલ્લાના વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી દ્વારા ગણેશોત્સવના મેદાન માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે તો પણ તેઓની ગણેશોત્સવ સમિતિને ગણેશોત્સવ માટે તંત્ર દ્વારા આખુ મેદાન આપવામાં આવ્યુ નથી જેથી કરીને વાંકાનેરના વિવાદાસ્પદ મેદાનમાં વાજતે ગાજતે ગણેશોત્સવ સમિતિએ ગશેશજીનું સ્થાપન કરેલ છે તો પણ જીતુભાઇ સોમાણીનું આંદોલન હજુ યથાવત જ છે

વાંકાનેરમાં છેલ્લા ૧૨ વર્ષથી ગણેશોત્સવ ઉત્સવ સમિતિ દ્વારા જે જગ્યા ઉપર ગણેશોત્સવનું આયોજન કરવામાં આવતું હતું તે મેદાન ગણેશ ઉત્સવ સમિતિને આપવાના બદલે અન્ય પાર્ટીને અડધુ મેદાન ગઇકાલે વહીવટદાર દ્વારા આપવામાં આવ્યુ છે જેથી કરીને છેલ્લા ઘણા દિવસોથી જીતુભાઈ સોમાણી દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેને હજુ પણ યથાવત જ રાખવામાં આવેલ છે અને આજે વાજતે ગાજતે વાંકાનેરમાં વિવાદાસ્પદ બની ગયેલા આરએસએસના મેદાનમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને પૂજન અર્ચન શરૂ કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ મેદાન માટે જેને માંગણી કરી હતી અને ગઇકાલે તાબડતોબ અડધા મેદાનની સરકારી ફી પણ સરકારી તિજોરીમાં જમા કરાવી હતી તે પાર્ટી દ્વારા બપોર સુધી આ મેદાન ઉપર ગણેશ ઉત્સવ માટેનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી તેવું વાંકાનેરના લોકો પાસેથી જાણવા મળેલ છે તો કયા હેતુથી આ ગ્રાઉન્ડની બીજી પાર્ટીએ માંગણી ગણેશ ઉત્સવ દરમિયાન કરી હતી ? અને શા માટે થઈને વાંકાનેરમાં વિવાદ થાય તેવું કરવામાં આવ્યું હતુ ? તે તપાસનો વિષય છે






Latest News