મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE













મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી એક્ટિવા ઉપર જઈ રહેલ દંપતીના એકટીવાને પાછળથી અજાણ્યા બાઇક ચાલાકે હડફેટે લીધું હતું જેથી કરીને દંપતીને ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું છે જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે

બનાવની જાણમાં મળતી વિગત પ્રમાણે મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી એક્ટિવા લઈને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ચંદ્રકિશોરભાઈ બાવલાભાઈ સોલંકી (૫૮) તેના પત્નીને એકટીવામાં પાછળના ભાગે બેસાડીને ગત તા. ૨૦/૮ ના સાંજના ૪:૩૦ વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના એક્ટિવાને પાછળથી કોઈ અજાણ્યા બાઇક ચાલાકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે ચંદ્રકિશોરભાઈ સોલંકી તથા તેની પત્નીને ઇજાઓ થઈ હતી જેથી બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન ચંદ્રકિશોરભાઈ સોલંકીનું મોત નીપજ્યું છે જેથી કરીને હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે અકસ્માતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે વધુમાં મૃતક ચંદ્રકિશોરભાઈના પરિવારજન પાસેથી જાણવા મળતી માહિતી મુજબ તેઓ પોતાના વેવાઈના ઘરે મોરબી આવ્યા હતા અને ત્યાંથી હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેઓને વધુ ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું છે

દવા પી જતા સારવારમાં

વાંકાનેર તાલુકાના લાલપર ગામ પાસે આવેલ એમટ્રીન કંપનીમાં રહેતા રોશનભાઈ હાફિઝમોહમ્મદ (ઉંમર ૧૮) બીમારી સબબ વધુ પડતી દવા પી જતા તેને પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News