મોરબી : મધ્યપ્રદેશમાં નોંધાયેલ અપહરણના ગુનામાં પકડાઈ જવાના ડરે યુવાને જીવ દીધો, પાનેલી ગામે યુવતીએ ઝાડમાં લટકીને અને વાંકાનેરમાં દવા પીને આધેડે જીવ દીધો વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે તા.૧૮ ના કલેકટર કચરી ખાતે ધરણા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE











મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી એક્ટિવા ઉપર જઈ રહેલ દંપતીના એકટીવાને પાછળથી અજાણ્યા બાઇક ચાલાકે હડફેટે લીધું હતું જેથી કરીને દંપતીને ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું છે જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે

બનાવની જાણમાં મળતી વિગત પ્રમાણે મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી એક્ટિવા લઈને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ચંદ્રકિશોરભાઈ બાવલાભાઈ સોલંકી (૫૮) તેના પત્નીને એકટીવામાં પાછળના ભાગે બેસાડીને ગત તા. ૨૦/૮ ના સાંજના ૪:૩૦ વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના એક્ટિવાને પાછળથી કોઈ અજાણ્યા બાઇક ચાલાકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે ચંદ્રકિશોરભાઈ સોલંકી તથા તેની પત્નીને ઇજાઓ થઈ હતી જેથી બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન ચંદ્રકિશોરભાઈ સોલંકીનું મોત નીપજ્યું છે જેથી કરીને હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે અકસ્માતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે વધુમાં મૃતક ચંદ્રકિશોરભાઈના પરિવારજન પાસેથી જાણવા મળતી માહિતી મુજબ તેઓ પોતાના વેવાઈના ઘરે મોરબી આવ્યા હતા અને ત્યાંથી હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેઓને વધુ ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું છે

દવા પી જતા સારવારમાં

વાંકાનેર તાલુકાના લાલપર ગામ પાસે આવેલ એમટ્રીન કંપનીમાં રહેતા રોશનભાઈ હાફિઝમોહમ્મદ (ઉંમર ૧૮) બીમારી સબબ વધુ પડતી દવા પી જતા તેને પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News