મોરબી : મધ્યપ્રદેશમાં નોંધાયેલ અપહરણના ગુનામાં પકડાઈ જવાના ડરે યુવાને જીવ દીધો, પાનેલી ગામે યુવતીએ ઝાડમાં લટકીને અને વાંકાનેરમાં દવા પીને આધેડે જીવ દીધો વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે તા.૧૮ ના કલેકટર કચરી ખાતે ધરણા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના સર્કિટ હાઉસમાં કાલે દલિત અધિકાર સત્યાગ્રહ અનુસંધાને મિટિંગ યોજશે


SHARE











મોરબીના સર્કિટ હાઉસમાં કાલે દલિત અધિકાર સત્યાગ્રહ અનુસંધાને મિટિંગ યોજશે

મોરબીના સર્કિટ હાઉસ ખાતે દલિત અધિકાર સત્યાગ્રહ અનુસંધાને અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મિટિંગ કાલે સવારે મોરબીના સરિકીટ હાઉસ ખાતે યોજાશે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસુચિત જાતિ વિભાગના અધ્યક્ષ એડ. દીપક પરમારે જણાવ્યુ છે કેગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા તથા એઆઇસીસી અનુસુચિત જાતિ  વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ લીલોઠિયાની ઉપસ્થિતિમાં દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમ અમદાવાદ મુકામે થોડા સમય પહેલા લોન્ચ કરવામાં આવેલ છે આ કાર્યક્રમ મુજબ જે વિધાનસભા મતવિસ્તારોમાં દલિતોની વસ્તી વ્યાપક પ્રમાણમાં હોય તે વિધાનસભા બેઠકમાં દલિતોના મતદારો નિર્ણાયક છે. જેને ધ્યાને રાખીને દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમને અનુલક્ષીને મોરબી શહેર ખાતે પણ દલિત અધિકાર સત્યાગ્રહનું એક અગત્યની મિટિંગનું આયોજન કરેલ છે. જેમાં એઆઇસીસી અનુસુચિત જાતિ  વિભાગનાનાં રાષ્ટ્રીય કોડીનેટર અને ગુજરાત પ્રભારી અનુસુચિત જાતિ વિભાગ રવિન્દ્ર દલવી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અનુસુચિત જાતિ વિભાગ ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા તેમજ મોરબી જિલ્લા પ્રભારી ડો. દિનેશભાઇ પરમાર તેમજ મોરબી જિલ્લા પ્રમુખ જયંતિભાઈ જે પટેલ, ટંકારા-પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરા અને વાંકાનેરનાં ધારાસભ્ય પીરઝાદા ઉપસ્થિત રહેશે જેથી કરીને કાલે તા ૨/૯ ના રોજ સર્કિટ હાઉસના કોન્ફરન્સ હૉલ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે મોરબી શહેરજીલ્લા અને તાલુકાનાં તમામ હોદેદારો તથા સામાજિક આગેવાનો કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે






Latest News