ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા કાલથી ચાર દિવસ મોરબી-રાજકોટના પ્રવાસે


SHARE













રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા કાલથી ચાર દિવસ મોરબી-રાજકોટના પ્રવાસે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ૨ સપ્ટેમ્બર થી ૫ સપ્ટેમ્બર દરમિયાન મોરબી તેમજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે.

મંત્રી કાલે તા. ૨ સપ્ટેમ્બરે સાંજે ૫:૦૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લા આરોગ્ય રોગી કલ્યાણ સમિતિ તથા મોરબી મેડિકલ કોલેજ સંદર્ભે સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૭:૩૦ કલાકે રામોજી ફાર્મ મોરબી ખાતે ગણેશ ઉત્સવ સંદર્ભે આરતીમાં ઉપસ્થિત રહેશે તા. ૩ સપ્ટેમ્બરે રાજકોટ ખાતે સ્થાનિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા ૪ સપ્ટેમ્બરે સવારે ૧૦:૦૦ કલાકે માર્કેટિંગ યાર્ડ મોરબી ખાતે મોરબી જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓ દ્વારા રખાયેલ વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપશે. અને બપોરે ૧:૦૦ થી ૫:૦૦ દરમિયાન મોરબી સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી લોકોના પ્રશ્નો સાંભળશે તા. ૫ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦:૦૦ કલાકે વી.સી. હાઇસ્કુલ મોરબી ખાતે શિક્ષકદિન અન્વયે રખાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.






Latest News