માળીયા (મી.) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કૃષિ મંત્રીને રજૂઆત
મોરબીના ગ્રીનચોક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા લોકોની રજુઆત
SHARE
મોરબીના ગ્રીનચોક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા લોકોની રજુઆત
મોરબીના ગ્રીનચોક વિસ્તારોમાં ગેરકાયદે મકાન અને પ્લોટ પચાવી પાડતા હોવાની કલેકટરને રજૂઆત કરવામાં આવેલ છે અને આ વિસ્તારોમાં અશાંત વિસ્તારમાં તંત્રની મંજૂરી વગર કોઇપણ મકાન કે પ્લોટનું વેચાણ ન થાય તેવો હુકમ કરવા માટે માંગ કરવામાં આવી છે
મોરબીમાં ગ્રીનચોક, સોની બજાર, દરબારગઢ સહિતના વિસ્તારમાં તેમજ મધુર ચોકથી ખોડિયાર મંદિર સુધી, હનુમાનજીના મંદિર પાસેથી ગરબી ચોક સુધી, દરબાર ગઢ, મહેન્દ્રડ્રાઈવ રોડ, અશોકાલય પાસે સહિતના વિસ્તારોમાં એક સમુદાયની વ્યક્તિઓનું ધ્રુવીકરણ મોરબી સ્ટેટ (રજવાડા)ના સમયગાળાથી થયેલ છે. અને જૂના સમયમાં આ વિસ્તારમાં રહેતા લોકો મોરબીના ગૌરવસભર ઈતિહાસમાં મહત્વપૂર્ણ ફાળો છે અને હાલમાં તેઓના વારસદારોના ઘણાખરા પરિવારો આ વિસ્તારમાં છે. પરંતુ વિધર્મી લોકો આ વિસ્તારમાં અયોગ્ય રીતે મકાનોની ખરીદી કરી રહ્યા છે ત્યારે વિધર્મીઓના મકાન ખરીદવાથી વર્ષોથી અહીં રહેતા સમુદાયની વ્યક્તિઓની જનસંખ્યા વિષયક સંતુલન ખોરવાય તેમ છે જેથી સ્થાનિકોએ આ વિસ્તારમાં અશાંત વિસ્તાર જાહેર કરી તંત્રની મંજૂરી વગર કોઇપણ રહેણાંક મકાન કે પ્લોટનું વેચાણ ન થાય તે માટે હુકમ કરવાની માંગ સાથે કલેકટરને સ્થાનિક લોકોએ માંગ કરી છે